દેશની જેલોમાં બંધ કેદીઓનાં આધાર ઓથેન્ટિકેશનને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. ગૃહમંત્રાલયની તરફથી રાજ્ય સરકારોને આ અંગે કેટલાક આદેશ આપવામાં આવ્યાં છે.
કેદીઓનાં આધાર ઓથેન્ટિકેશન માટે નોટિફિકેશન
કેન્દ્ર સરકારે રાજ્યોને મોકલી નોટિફિકેશન
સ્વૈચ્છિક ધોરણે ઓથેન્ટિકેશન કરવા જણાવ્યું
આધારકાર્ડનાં ઓથેન્ટિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશનાં વિભિન્ન જેલોમાં બંધ કેદીઓનાં આધારકાર્ડ ઓથેન્ટિકેશન કરાવવા માટે રાજ્ય સરકારોને આદેશ આપ્યાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સ્વૈચ્છિક આધાર પર જેલોમાં બંધ કેદીઓનાં આધારકાર્ડનાં ઓથેન્ટિકેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેનાથી તે હેલ્થકેર, સ્કિલ, વોકેશન ટ્રેનિંગ જેવી સુવિધાઓનો લાભ મેળવી શકે.
કેન્દ્ર સરકારની નોટિફિકેશન
આધાર કાર્ડનાં ઓથેન્ટિકેશનથી આ તમામ સરકારી સુવિધાઓ અને સેવાઓની સાથે જેલોમાં બંધ કેદીઓને કાયદાકીય સહાયતા અને સંબંધીઓની સાથે મુલાકાતની સુવિધાનો લાભ મેળવવામાં ઉપયોગી થશે. કેન્દ્ર સરકારે આ વિષયે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગૃહમંત્રાલયની તરફથી જાહેર નોટિફિકેશનમાં આધાર ઓથેન્ટિકેશનનાં નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ગુડ ગવર્નેંસ (સોશિયલ વેલફેર, ઈનોવેશન, નોલેજ) નિયમો 2020નાં પાંચમાં નિયમ અંતર્ગત લેવામાં આવ્યો છે.
કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા મદદરૂપ
ગૃહમંત્રાલય અનુસાર આર્થિક અને અન્ય સબસિડીઝ, લાભ અને સેવાઓ માટે આધાર ઓથેન્ટિકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના લીધે લક્ષિત વર્ગ સુધી આ સેવાઓનો લાભ પહોંચી શકે. ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સ્વૈચ્છિક આધાર પર રાજ્ય સરકારો જેલનાં કેદીઓનાં આધાર ઓથેન્ટિકેશન કરાવે જેનાથી કેદીઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચી શકે.
ગાઈડલાઈનનું પાલન કરવું કેદીઓ માટે આવશ્યક
ગૃહમંત્રાલયે કહ્યું કે તેનાથી સ્વાસ્થ્ય, સ્કિલ, વોકેશન ટ્રેનિંગ અને સંબંધીઓ સાથે મુલાકાત, કાયદાકીય સહાયતામાં કરેક્શન રિફોર્મમાં સહાયતા મળશે. ગૃહમંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની તરફથી આધાર ઓથેન્ટિકેશનને લઈને જાહેર ગાઈડલાઈન્સનું જેલ અધિકારીઓએ પાલન કરવું પડશે.