રાજકોટઃ રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીએ ગાંધી મ્યુઝીમ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકોપર્ણ કર્યુ હતું. જેમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓ સાથે વાત કરી. સાથે લાભાર્થીઓએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ત્યારે રાજકોટ ખાતે પીએમ મોદીએ જાહેરસભાને સંબોધી હતી. PM મોદીએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યુ હતું કે આજનો અવસર રાજકોટને આંગણે છે પણ સમગ્ર વિશ્વ માટે છે. રાજકોટનું પાણી પીતા પીતા ગાંધીના જીવનની શરૂઆત થઇ. રાજકોટમાં ગાંધીજીનું ઘડતર થયું છે. એવા કેવા તત્વો હતા કે જેણે ગાંધીજી અને રાજકોટને અલગ કર્યા? જે સમાજ ઇતિહાસ ભૂલી જાય છે તેનામાં ઇતિહાસ રચવાનું સામર્થ નથી હોતું. દુનિયાના દરેક વ્યક્તિનો હક છે કે ગાંધીજીના શાળાકીય જીવન વિશે જાણવું જોઇએ. 2 ઓક્ટોબરે માત્ર એક વ્યક્તિનો નહી એક યુગનો જન્મ થયો હતો. બાપુએ વિકાસની અવધારણા છેવાડાના માનવીને ધ્યાને રાખીને કરી.
તેમણે કહ્યું કે આજે વિશ્વ પર્યાવરણની સમસ્યાઓથી ઝૂંઝી રહ્યો છે. સ્વચ્છ ભારતની જવાબદારી ઉઠાવીને બાપુને કાર્યાજલિ અર્પીએ. મારી વાત 5-7 વર્ષના ભૂલકાઓના ગળે ઉતરી. જો નક્કી કરો તો રાજકોટમાં દુનિયાની કોઈ તાકાત ગંદકી ન કરી શકે. WHOના રિપોર્ટ અનુસાર સ્વચ્છતાને કારણે 3 લાખ બાળકોનું જીવન બચ્યુ છે. યોજના સમાજના છેવાડાના લોકોના જીવનમાં બદલાવ લાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આજે મને સંતોષ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર ચાર દિવાલ જ નથી. અગાઉ કરદાતાઓના રૂપિયા સગેવગે થતા તે બંધ કર્યા. અમે સંકલ્પબદ્ધ લોકો છીએ. ખેતરે ખેતરે સિંચાઈના પાણી પહોચાડવા પ્રયોગ કરીએ છીએ. અમે કોઈ એક પરિવારના લોકો માટે બંધાયેલા નથી.
વિશ્વનું સૌથી ઉચુ સરદાર પટેલનું સ્મારક ગુજરાતની ધરતી પર આકાર પામ્યું. મર્યાદીત વિચારધારા વાળા લોકોને મૂર્તિમાં પણ ચૂંટણી દેખાય છે. રાજકોટમાં સંબોધન દરમિયાન PMએ રાહુલ ગાંધીને નામ લીધા વગર લીધા આડેહાથ હતા. વાંકદેખા લોકો દરેક સમયે ચૂંટણીને જ ધ્યાને રાખે છે. કેટલાકને સરદારમાં જાતિ રાજ્ય ચૂંટણી નજરે પડે છે.
રાજકોટ સાથે બાપુના સ્મરણો જોડાયેલા છે: CM રૂપાણી
રાજકોટ માટે ખૂબ આનંદનો દિવસ છે. ગાંધીજીના વિચારોને આજે દુનિયા માની રહી છે. ગરીબ કુટુંબને પાક્કા મકાનો આપ્યા છે. ઉજ્વલા અને જન ધન યોજના ગરીબો માટે છે. ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટના નારા સાથે શહેર આગળ વધી રહ્યુ છે. CCTVની મદદથી ગુજરાતને સુરક્ષિત કરાયુ છે.
આણંદમાં 1100 કરોડના પ્રકલ્પોનું ઉદ્ધાટન-લોકાર્પણ
મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે આણંદમાં પહોંચીને જાહેરસભાને સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆત PM મોદીએ કેમ છો કહીને કર્યું. તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા માટે આભાર. રૂ. 1 100 કરોડના પ્રકલ્પોનું ઉદ્ઘાટન-લોકાર્પણ અને શિલાન્યાસનો અવસર આપ્યો છે. સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો હું આભાર માનુ છું. દુનિયામાં અમૂલ બ્રાન્ડ અત્યારે ઓળખ બની છે. વિશ્વના 40થી વધુ દેશોમાં અમૂલ ઓળખ બની છે. અમૂલની ઓળખ 7 દાયકાના ખેડૂતોના પુરૂષાર્થનું પરિણામ છે. મિલ્ક પ્રોસેસીંગ માત્ર પ્રક્રિયા જ નહીં પણ અર્થવ્યવસ્થાનું એક મોડલ છે. અમૂલ આજે એક અનિવાર્યતા બન્યું છે.
કચ્છમાં GSPL LNG ટર્મિનલ પ્રોજેકટનું લોકાર્પણ
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં GSPL LNG ટર્મિનલ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંજારના સતાપરમાં જાહેરસભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2001 પહેલા કચ્છમાં લોકો પાણી માટે વલખા મારતા હતા અત્યારે કચ્છને લીલુછમ કરી દીધું છે. ગુજરાત LNGનું હબ બની ગયું છે. હવે દેશમાંથી અંધારૂ દુર કરવાનો પ્રયાસ કરીશું. આઝાદીના 75 વર્ષ પહેલા દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચાડીશું. આ તરફ રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીએ ગાંધી મ્યુઝીમ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકોપર્ણ કર્યુ હતું.