દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રવિવારે દેશભરમાં મોટા હર્ષોલ્લાસની સાથે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધિત કર્યા.
રવિવારે દેશભરમાં મોટા હર્ષોલ્લાસની સાથે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાશે
દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ
પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, 71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર, હું દેશ અને વિદેશમાં રહેતા, ભારતના તમામ લોકોને, હાર્દિક શુભકામનાઓ આપું છું. આપણા બંધારણે આપણા સૌને એક સ્વાધીન લોકતંત્રના નાગરિકના રૂપે કેટલાક અધિકાર આપ્યા છે. પરંતુ બંધારણના અંતર્ગત, આપણે સૌએ આ જવાબદારી પણ લીધી છે કે આપણે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તથા ભાઇચારાના મૂળભૂત લોકશાહી આદર્શો પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહીએ.
રાષ્ટ્રપતિએ મોદી સરકારની કેટલીક યોજનાઓની પ્રશંસા કરીને કહ્યું કે, જન-કલ્યાણ માટે, સરકારે ઘણા અભિયાન ચલાવ્યા છે. એ વાત વિશેષ ઉલ્લેખનીય છે કે, નાગરિકોએ, સ્વેચ્છાએ તે અભિયાનોને, લોકપ્રિય જન આંદલનોનું રુપ આપ્યું છે.
તેઓએ કહ્યું કે, જનતાની ભાગીદારીને કારણે 'સ્વચ્છ ભારત અભિયાન'એ ખુબજ ઓછા સમયમાં સફળતા હાંસલ કરી છે. ભાગીદારીની આ ભાવના અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા પ્રયાસોમાં પણ દેખાઇ રહી છે. પછી તે રસોઇ ગેસની સબસિડી છોડવી હોય અથવા ડીજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવું હોય.
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ છે ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ
આ વર્ષે 71માં ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો ભારતની ચાર દિવસની યાત્રા પર શુક્રવારે સાંજે પહોંચી ગયા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે બ્રાઝિલsના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારોનું સ્વાગત કર્યું.
26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પર ઝંડો ફરકાવે છે, જ્યારે 15 ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ બંધારણીય પ્રમુખ હોય છે, તેથી ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે. 26 જાન્યુઆરી 2020ના દિવસે ભારત પોતાનો 71મો ગણતંત્ર દિવસની ઉજવણી કરશે.