સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી, ગુજરાત સરકારે સવા મહિનામાં જ 90 હજાર ઑક્સીજન બેડ ઊભા કર્યા હતા.
CM રૂપાણી સોમનાથ જિલ્લાની મુલાકાતે
સોમનાથ રામમંદિર ઓડીટેરીમ ખાતે કાર્યક્રમ
વેરાવળમાં નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ
CM વિજય રૂપાણી ગીર-સોમનાથની મુલાકાતે છે. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અનેક કાર્યક્રમમાં CM રૂપાણી હાજરી આપશે. તો વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે ન.પાના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. સોમનાથ ખાતે સંબોધનમાં મુખ્યમંત્રીએ સરકારની કોરોનામાં કામગીરી અંગે પણ વાત કરી હતી. જેમાં કહ્યું કે, બીજી લહેરમાં ભારતભરમાં કોરોના કેસની સંખ્યા વધ્યા હતા. આ સમયે ગુજરાત સરકારે સવા મહિનામાં જ 90 હજાર ઑક્સીજન બેડ ઊભા કર્યા હતા.
હું દાવા સાથે કહીશ કે અન્ય રાજ્યોમાં ઑક્સીજનના અભાવે ઘણી બધી હોસ્પિટલમાં એક સાથે 40-50 દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે ગુજરાતમાં ઑક્સીજન અટકી ગયો અને માણસ મૃત્યુ પામ્યો એવું થવા દીધું નથી. બીજી લહેરનો કાળ ખૂબ વિકરાળ હતો. પરંતુ જે કામગીરી કરી તેના કારણે ગુજરાતને સલામત રીતે બહાર કાઢી શક્યા છીએ. કોરોના વચ્ચે વાવાઝોડું પણ આવ્યું હતું.
CM રૂપાણીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે, તૌકતે ઈતિહાસનું સૌથી ભયંકર વાવાઝોડું હતું. અને તેના કારણે થયેલી તબાહી પછી સરકારે તાબડતોબ પેકેજની જાહેરાત કરી હતી. ખેડૂતોથી લઈને માછીમારો માટે પેકેજ આપ્યું છે. અગાઉ વાવાઝોડા બાદ માછીમારોને એક રૂપિયો મળતો ન હતો. આ વખતે પહેલી વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સોમનાથ દાદા અને દ્વારકામાં કાળિયા ઠાકોરને કારણે આ વિસ્તારો વાવાઝોડાથી બચી ગયા અને વાવાઝોડું ઊના-જાફરાબાદ તરફ ફંટાઈ ગયું હતું.