ગાંધીનગર પંકજ કુમારે તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે કહ્યું કે, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં તેજ પવન ફૂંકાશે
13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છેઃ પંકજકુમાર
પોરબંદર અને મહુવા વચ્ચેથી વાવાઝોડુ પસાર થશે
રાત્રે 8 થી 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડું પસાર થશે
ગાંધીનગર અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદને સંબંધન કર્યું હતું. પંકજ કુમારે તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે કહ્યું કે, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં તેજ પવન ફૂંકાશે. સાથે મધ્ય ગુજરાતમાં ભરૂચ, આણંદ, બોટાદ, સાઉથ અમદાવાદમાં પણ તેજ પવન ફૂંકાશે. સાથે જણાવ્યું કે, ભારત સરકાર સતત ગુજરાતને માર્ગદર્શન આપી રહ્યું છે. તમામ સૂચનાઓ પર જિલ્લામાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ મોનીટરીંગ રાખી રહ્યા છે. સેટેલાઇટ ફોનની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં પંકજ કુમારે કહ્યું કે, 17 જિલ્લામાં 840 ગામોમાંથી સ્થળાંતર કરાયું છે. 2000 જેટલા આશ્રયસ્થાનમાં લોકોને હાલ રાખવામાં આવ્યા છે. 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયામાં ગયેલા 19,811 માછીમારો પરત પણ આવી ગયા હોવાનો દાવો કર્યો છે.
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
વાવાઝોડાની ગંભીરતાને જોતા રાજ્યભરમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 174 ICU ઓન-વ્હીલ તૈનાત કરાઈ. રાજ્યમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં સહિતના જિલ્લાઓમાં NDRFની 44 ટીમો બચાવકાર્ય માટે તૈયાર છે. આ ઉપરાંત દીવમાં પણ NDRFની 2 ટીમો બચાવ કાર્યમાં જોડાશે. અમદાવાદના તમામ ફાયરમેનની રજા રદ કરી દેવામાં આવી છે. અને હાલ 4 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. તૌકતે વાવાઝોડાને લઇ PGVCLનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે. જ્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે પાવર સપ્લાય સલામતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યું. આ સાથે જ કોવિડ હોસ્પિટલોમાં વીજળી માટે બેક અપ પ્લાન તૈયાર કર્યો છે.. ભરૂચના દરિયાઈ વિસ્તારમાં 6 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઇ. તો પોરબંદરમાં 2 હજારથી વધુ બોટ પાર્ક કરાઇ છે.
તૌકતે સોમવારે સાંજે ગુજરાતને ટકરાશે
તૌકતે વાવાઝોડું અત્યંત પ્રચંડ વેગ સાથે ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે વાવાઝોડું બપોરે 12 વાગ્યે ગુજરાતના વેરાવળ બંદરથી આશરે 250 કિમી દૂર હતું તથા વાવાઝોડું ગુજરાતને ટકરાય ત્યારે પવનની ગતિ 155-165 કિમી/કલાક હોઇ શકે છે. પોરબંદરથી મહુવાની વચ્ચેથી સોમવારે સાંજે 8થી રાતના 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવી આશંકા છે અને છેલ્લા 6 કલાકથી આશરે 15 કિલોમીટર/કલાકની ઝડપથી વાવાઝોડાનું કેન્દ્ર આગળ વધી રહ્યું છે.
અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.