નાણા મંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં જનરલ બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હતું. આ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને ખેડૂતો, મહિલાઓ અને ગ્રામીણ ભારત પર ભાર મુક્યો છે. ત્યારે જે લોકોને ઘરના ઘરનું સપનું છે તે સાકાર થઇ શકે છે. કારણ કે...
તમામને ઘરનું ઘર આપવાના અભિયાન હેઠળ કેન્દ્રની મોદી સરકારે બજેટમાં મોટું એલાન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સસ્તા મકાન ખરીદવા પર વ્યાજ પર મળનાર ટેક્સ છૂટમાં વધારો કરી દીધો છે.
45 લાખના ઘર પર 1.5 લાખની છૂટ મળશે
બજેટમાં મધ્યમવર્ગને મોટો ફાયદો થયો છે. 45 લાખ સુધીના ઘર ખરીદવા પર 1.5 લાખની છૂટ મળશે. આ જાહેરાત સાથે હવે સસ્તા ઘર પર વ્યાજમાં 3.5 લાખની છૂટ મળશે. 2022 સુધીમાં દરેકને ઘર આપવાની યોજના. 1.95 કરોડ ઘર આપનાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. નિર્માણ થયેલાં 26 લાખ ઘર લોકોને અપાયા છે.
15 વર્ષ સુધીની લોન લેનારને મળશે ફાયદો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વ્યાજ પર વધુ 1.5 લાખની ટેક્સમાં છૂટનો લાભ તે લોકોને મળશે, જે 15 વર્ષ સુધીની અવધિ પર લોન લેશે. આ સુવિધાનો લાભ માર્ચ 2020 સુધી હોમ લોન લેનારાઓને મળશે.
વધુમાં સીતારમણે કહ્યું કે, 5 લાખની કમાણી પર કોઇ ટેક્સ નહીં. જ્યારે 2 થી 5 કરોડની કમાણી પર 3 ટકા વધારાનો ટેક્સ લેવામાં આવશે. ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં.
મહત્વનું છે કે, લોન-ટેક્સમાં રાહત સાથે સીતારમણે કહ્યું કે વર્ષ 2022 સુધી ગરીબો માટે 1.96 ઘર બનશે અને પોતાના વાયદા પર પ્રતિબદ્ધ છે.