ટેટ 2ની પરીક્ષામાં હવે વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. શૈક્ષણિક લાયકાતને લઈ સુધારો બહાર પાડવામાં આવ્યો છે જે સુધારા અનુસાર હવે ટેટ 2ની પરીક્ષા માટે બી.ફાર્મ, એમ ફાર્મ અને MSCના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
ટેટ-2ની પરિક્ષામાં વધુ લાયકાતનો ઉમેરો
બી.ફાર્મ , એમ ફાર્મ અને MSC તથા MBBS નો પણ કરાયો સમાવેશ
અગાઉ એન્જિનિયરિંગ ડિગ્રીઓ નો પણ કર્યો હતો સમાવેશ
ટેટ-2ની પરિક્ષાના ઉમેદવારોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેટ 2ની પરીક્ષામાં હવે વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. બી.ફાર્મ, એમ ફાર્મ અને MSC તથા MBBSનો પણ સમાવેશ કરાયો છે. અગાઉ એન્જિનિયરિંગ ડિગ્રીઓનો પણ સમાવેશ કર્યો હતો. થોડા દિવસ પહેલા જ શિક્ષણ વિભાગે સમાવેશ કર્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 31, 2023
વિદ્યાસહાયકો બનવા માટે ઈજનેરો પણ તક
રાજ્ય શૈક્ષિણ વિભાગના પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટે ટેટ 1 અને ટેટની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે અને જેના ફાર્મ પણ ભરાઈ રહ્યાં છે, જેમાં ધોરણ 6થી 8ના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતમાં અન્ય કોર્ષનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાસહાયકો બનવા માટે ઈજનેરો માટે પણ નવી તક સર્જાઈ છે. જે શૈક્ષણિક લાયકાતને લઈ સુધારો બહાર પાડવામાં આવ્યો છે. જે સુધારા અનુસાર હવે ટેટ 2ની પરીક્ષા માટે બી.ફાર્મ, એમ ફાર્મ અને MSCના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યું
શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ટેટ-2ના ફોર્મ ભરવાની મુદત 29મી સુધી લંબાવવામાં આવી છે. તેમજ નવી લાયકાતનો પણ ઉમેરો કરવાનો ઉલ્લેખ્યો છે હવે આગામી ભરતીમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બી.ઈ., બી.ટેક. થયેલા ઈજનેરો પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ધો.6થી8ના શિક્ષકો માટે ટેટ-2 લેવામાં આવે છે.
ઉમેદવારોમાં વધારો થશે
તમને જણાવી દઈએ કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ટેટ-2માં ઉમેદવારોમાં વધારો થશે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે બી.ઈ. અને બી.ટેક.ની લાયકાત ઉમેરાઈ હતી. તેમજ સામાજિક વિજ્ઞાનમાં બીબીએ, બીસીએ તેમજ બીએમાં ભારતીય સંસ્કૃતિ અને હોમ સાયન્સ વિષયનો ઉમેરો કરાયો હતો. તમને જણાવી તો હવે નવી લાયકાત ઉમેરાતા જે-તે વિષયના ઉમેદવારો પણ ટેટ-2ની પરીક્ષા આપી શકેશે. ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે બીઈ, બીટેક, બીબીએ, બીસીએ અને હોમ સાયન્સની ડિગ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોમાં વધારો થશે.