કેન્સરથી બચવા માટે આમ તો યોગ્ય સમયે લક્ષણોની ઓળખ, સમયે સમયે તપાસ, એક્ટિવ લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ડાયટ જરૂરી છે.
કેન્સર શરીરને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડે છે
કેન્સર માટે અનેક દવાઓ અને મેડિકલ ઉપચાર છે
કેન્સરથી બચવા એક્ટિવ લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ડાયટ જરૂરી
કેન્સર એક ગંભીર અને જીવલેણ બીમારી છે. કેન્સર કેટલાય પ્રકારનાં હોય છે અને કોઇ પણ પ્રકારનું કેન્સર શરીરને અલગ અલગ રીતે નુકસાન પહોંચાડે છે. કેન્સર અચાનક થતી બીમારી નથી. તે શરીરમાં ધીમે ધીમે વધે છે. કેન્સર માટે અનેક દવાઓ અને મેડિકલ ઉપચાર છે, પરંતુ તેનાથી બચવાની સૌથી સારી રીત એ છે કે તેનાં લક્ષણોને સમય પર ઓળખી લેવાં જોઇએ અને તેનું નિદાન કરવું જોઇએ, તેનાથી બહેતર ઇલાજમાં મદદ મળી શકે છે તમે શું ખાઓ-પીઓ છો તે નક્કી કરે છે કે તમારા શરીરમાં કેન્સરનું જોખમ કેટલું થઇ શકે છે. કેન્સરથી બચવા માટે આમ તો યોગ્ય સમયે લક્ષણોની ઓળખ, સમયે સમયે તપાસ, એક્ટિવ લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ડાયટ જરૂરી છે. રોજ ખવાતાં કેટલાંક શાકભાજીમાં કેન્સરને રોકવા માટેના ગુણ છે તો જાણી લો એવાં શાકભાજી વિશે જે કેન્સરથી બચવામાં તમને મદદ કરે છે.
કેન્સરથી બચવા ખાઓ બીન્સ
બીન્સમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. ફાઇબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી કોલોરેક્ટલ કેન્સરથી બચવામાં મદદ મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૂકાં બીન્સનું સેવન કરવાથી ટ્યૂમર થવાની શક્યતાઓ ઘટી જાય છે.
ગાજરમાં છે કેન્સર સામે લડવાની તાકાત
ગાજર ખાવાથી કેન્સરનો ખતરો ઘટે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાજર ખાવાથી પેટના કેન્સરનો ખતરો ર૬ ટકા સુધી ઘટી જાય છે. એટલું જ નહીં, તેનાથી પ્રોસ્ટેટ કેન્સરના વિકાસને ૧૮ ટકા સુધી ઘટાડી શકાય છે.
કેન્સરથી બચવા લસણ ખાઓ
લસણમાં એલિસિન નામનું એક સક્રિય ઘટક હોય છે. તે એક એવું તત્ત્વ છે, જેમાં કેન્સરની કોશિકાઓને મારવાની ક્ષમતા છે. નિયમિત લસણના સેવનથી પેટના કેન્સરનું જોખમ ઘટી જાય છે. પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ ઘટે છે.
કોબીજ-ફ્લાવર છે અદ્ભુત
કોબીજ-ફ્લાવર, કેળ, બ્રોકોલી જેવાં શાકભાજી કોબી પરિવારનાં કહેવાય છે, તેમાં વિટામિન-સી, વિટામિન-કે અને મેંગેનીઝ જેવાં જરૂરી પોષક તત્ત્વો હોય છે. આ શાકભાજીમાં સલ્ફોરાફેન પણ હોય છે. તે એિન્ટકેન્સરના રૂપે ઓળખાય છે. તે કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.
ટામેટાં છે બેસ્ટ
ટામેટાં ખાવાનો સ્વાદ તો વધારે છે, સાથે-સાથે શરીરમાં કેન્સર સામે લડવાના ગુણ પણ વિકસાવે છે. ટામેટાંમાં લાઇકોપીન હોય છે, જે એિન્ટ- ઓક્સિડન્ટ ફાઇટોકેમિકલ છે. તે હાર્ટ ડિસીઝને રોકવામાં મદદ કરે છે. તે વિટામીન-એ, સી, ઇનો એક સારો સ્રોત છે. તે કેન્સરનું કારણ બનનાર ફ્રી રેડિકલના દુશ્મન છે.
પાંદડાંવાળાં શાકભાજી
પાલક અને લેટ્યૂસ જેવી લીલાં પાંદડાંવાળી ભાજી એિન્ટ-ઓક્સિડન્ટ બીટા-કેરાટીન અને લ્યુટિનનો સારો સ્રોત છે. તે તમામ પોષક તત્ત્વો કોલાર્ડ ગ્રીન્સ, સરસો, કેળમાં મળી આવે છે. આ શાકભાજી કેન્સર સામે લડવામાં અને કેન્સર કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે.