સિઝનમાં બદલાવ થાય એટલે સ્કિન પર તેની અસર સૌથી પહેલા થાય છે. સ્કીનનું ધ્યાન સૌથી વધારે રાખવું પડતું હોય છે. ઉનાળામાં ત્વચા ડ્રાય થઇ જાય છે ત્યારે તેને હાઇડ્રેટ કરવાની જરૂર પડે છે. જ્યારે ચોમાસામાં ચહેરો ચીકણો થઇ જાય છે. જેના કારણે ચહેરા પરના રોમ છીદ્વો બંધ થઇ જાય છે.
ચોમાસામાં બદલો તમારુ ડાયેટ
ચહેરો કુદરતી રીતે ચમકશે
ભરપૂર પાણી સાથે ખાઓ આ વસ્તુઓ
જો તમે ડાઘ વગરની અને ચમકતી ત્વચા મેળવવા ઇચ્છો છો તો ચોમાસામાં એક્સફોલિએશન અને ક્લિંઝીંગ સાથે તમારા ડાયટ પર પણ ધ્યાન આપો. ચાલો જાણીએ કે ચોમાસામાં કઇ વસ્તુ ખાવાથી ત્વચા ચમકી ઉઠે છે.
એલોવેરા
એલોવેરા જ્યુસ એક એવી વસ્તુ છે જે સ્વસ્થ ત્વચાની ગેરંટી આપે છે. એલોવેરામાં વિટામિન એ, બી, સી, ઇ અને ફોલિક એસિડ હોય છે જે ત્વચાને પોષણ આપે છે અને એલર્જીથી પણ બચાવે છે.
વિટામિન સીયુક્ત ફળો
ખાટા ફળોમાં વિટામીન સી જોવા મળે છે, ત્વચાને સ્વસ્થ રાખવામાં વિટામીન સી મહત્વનો ભાગ ભજવે છે. વિટામીન સી કુદરતી રીતે ત્વચાને ચમકદાર બનાવે છે.
મોરિંગા
મોરિંગા પાવડરને ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. વજન ઘટાડવાની સાથે ત્વચા માટે પણ તે ફાયદાકારક છે. તેનો ઉપયોગ એન્ટી એજીંગ તરીકે પણ કરવામાં આવે છે.
હળદર
હળદરને સૌથી વધારે હેલ્ધી મસાલો માનવામાં આવે છે. ભારતના દરેક રસોડામાં હળદર જોવા મળે છે. હળદરને ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહેવામાં આવે છે. હળદરવાળુ દુધ પીવાની સાથે તેને ચહેરા પર લગાવવાથી પણ ચહેરો ચમકદાર બને છે.