ભારતમાં વેક્સિન લીધા બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હોવાના ઘણા બધા અહેવાલ સામે આવ્યા છે ત્યારે આ મુદ્દે અદાર પૂનાવાલાએ જવાબ આપ્યો છે.
મેં અને મારી કંપનીએ દાવો નથી કર્યો કે વેક્સિનથી બીમારી નહીં થાય : પૂનાવાલા
કોવિશિલ્ડ એક બુલેટ પ્રૂફ જેકેટની જેમ કામ કરે છે : પૂનાવાલા
ભારતમાં કોરોના વેરાસના સતત વધી રહ્યા છે કેસ
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને પહેલી લહેર કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વેક્સિનેશનની ઝડપમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
અદાર પૂનાવાલાએ શું જવાબ આપ્યો?
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે વેક્સિન આપવા પર રાજ્ય સરકારો દ્વારા ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે ઘણી બધા કેસ એવા પણ આવી રહ્યા છે કે દર્દીએ કોરોના વાયરસની રસી લીધી હોય છતાં તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હોય. આ મુદ્દે સિરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મીડિયા સાથે વાતચીતમાં જવાબ આપ્યો છે.
કઈ રીતે કામ કરે છે વેક્સિન?
હું આ વેક્સિનને કોવિશિલ્ડ કહું છું કારણ કે આ એક પ્રકારની શિલ્ડ છે જે તમને બીમારી થવાથી નહીં બચાવે પરંતુ તેનાથી તમે મરવાના નથી. આ તમને ગંભીર બીમારીથી બચાવે છે અને 95 ટકા કેસમાં તો એક ડોઝ લીધો હોય તો તમને હોસ્પિટલ જવાથી બચાવે છે. આ એક બુલેટપ્રૂફ જેકેટની જેમ કામ કરે છે, જ્યારે તમને ગોળી વાગે છે ત્યારે જેકેટના કારણે તમે મરતા નથી, પરંતુ થોડું ડેમેજ તો થાય છે. જાન્યુઆરી મહિનામાં અમે 4 કરોડ લોકોને ડોઝ આપ્યા છે, હવે આપણે જોવાનું રહે છે કે શું તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરુંર પડી રહી છે?
અદાર પૂનાવાલાએ કહ્યું કે મેં અથવા કંપનીએ આજ સુધી એવો દાવો નથી કર્યો કે વેક્સિન તમને બીમારી થવા જ નહીં દે. બની શકે કે આ લોકોની ધારણા રહી હશે. આજની તારીખમાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ એવી એક પણ વસ્તુ નથી જે 100% હોય.