ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના વાયરસના દર્દીઓ પર કોવિશીલ્ડ વેક્સીનની અસરકારકતાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોવિશીલ્ડ કોરોના વાયરસની વિરુદ્ધમાં 70 ટકા પ્રભાવી છે. આ વેક્સીનને લઈને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલાએ કહ્યું કે આ વેક્સીનના 10 કરોડ ડોઝ જાન્યુઆરી સુધીમાં આવશે. આ સાથે ફેબ્રુઆરીના અંત સુધી લાખો અન્ય ડોઝ પણ મળે તેવી યોજના છે. સરકારને આ વેક્સીનનો ડોઝ 250 રૂપિયામાં મળશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલાનું નિવેદન
કોવિશીલ્ડ કોરોના વાયરસની વિરુદ્ધમાં 70 ટકા પ્રભાવી
સરકારને આ વેક્સીનનો ડોઝ 250 રૂપિયામાં મળશે
અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સીનનો એક ડોઝ જો ફાર્મસીથી ખરીદાશે તો તે 1000 રૂપિયામાં મળશે પણ સરકાર સપ્લાયના 90 ટકા 250 રૂપિયા પ્રતિ ડોઝ ખરીદશે. પૂનાવાલાની કંપનીએ વેક્સીનને મોટાપાયે બનાવવા માટે સરકારની સાથે કરાર કર્યો છે. તેમનો દાવો છે કે પહેલી વેક્સીનના લગભગ 4 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. પૂનાવાલાએ કહ્યું કે ભારતમાં વેક્સીન મળવામાં 2-3 મહિનાનો સમય લાગશે. અમારી પાસે જાન્યુઆરી સુધીમાં 10 કરોડ ડોઝ હશે. સરકાર દ્વારા જુલાઈ સુધીમાં 30-40 કરોડ ડોઝ મેળવવાનું લક્ષ્ય છે. અમે તેની કિંમત 1000 રૂપિયા રાખી છે. પ્રાઈવેટ બજારમાં તે 500-600 રૂપિયા રહેશે અને સરકાર માટે કે 250 રૂપિયા કે તેનાથી ઓછી પણ રહી શકે છે.
I am delighted to hear that, Covishield, a low-cost, logistically manageable & soon to be widely available, #COVID19 vaccine, will offer protection up to 90% in one type of dosage regime and 62% in the other dosage regime. Further details on this, will be provided this evening. https://t.co/KCr3GmROiW
દવા કંપનીએ કહ્યું છે કે વેક્સીનને લઈને કોઈ ચિંતાજનક વાત સામે આવી નથી. ઓક્સફર્ડની વેક્સીનના પરિણામને ફાઈબર અને મોર્ડનાની વેક્સીન સાથે સરખાવ્યા તો તેમાં ક્રમશઃ 95 અને 94.5 ટકા પ્રભાવી જોવા મળ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે તેનું સ્વાગત કરીએ છીએ અને સાથે કંપની એસ્ટ્રાજેનેકાના કોરોનાની વેક્સીન ભારતમાં પરીક્ષણ કરી રહી છે.
અદાર પૂનાવાલાએ કહી આ વાત
અદાર પૂનાવાલાએ કહ્યું કે હું ખુશ છું કે કોરોના વેક્સીનના સસ્તા અને પાયાની રીતે પ્રબંધ યોગ્ય અને જ્લ્દી મળે તે મામટે કોવિશીલ્ડ એક ખાસ વેક્સીન છે અને તે 62 ટકા સુધી અસકારક રહી શકે છે.