સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા(SII)ના CEO અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સીનની રાહ જોઇ રહેલા દેશોને ધીરજ રાખવાની અપીલ કરી છે.
વેક્સિન સપ્લાઈ પર સીરમના CEO અદાર પૂનાવાલાનું નિવેનદ
ભારત પ્રાથમિકતામાં ઉપર, દુનિયા ધૈર્ય રાખેઃ પૂનાવાલા
અમે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએઃ પૂનાવાલા
SIIએ ભારતમાં વેક્સિનની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા જ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનકાએ વિકસિત કર્યું છે.
અદાર પૂનાવાલાએ રવિવારની સવારે ટ્વિટ કરીને કહ્યું કે, પ્રિય દેશો અને સરકારો, જેવું કે તમે લોકો કોવિશીલ્ડ વેક્સિનની સપ્લાઈની રાહ જોઇ રહ્યા છે. હું તમે સૌને વિનમ્ર નિવેદન કરું છું કે તમે સૌ ધીરજ રાખો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ભારતમાં વેક્સિનની ભારે જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. સાથે જ અન્ય દેશોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંતુલન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.
Dear countries & governments, as you await #COVISHIELD supplies, I humbly request you to please be patient, @SerumInstIndia has been directed to prioritise the huge needs of India and along with that balance the needs of the rest of the world. We are trying our best.
જણાવી દઇએ કે, ગત બુધવારે ભારતે યૂએનના શાંતિદૂતો માટે કોરોના વેક્સિનના 2 લાખ ડોઝ ગિફ્ટ કરવાનું એલાન કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે યૂએન સુરક્ષા પરિષદમાં કોરોના મહામારી સંકટના પરિપ્રેક્ષ્યમાં રિઝલૂશન 2532(2020) લાગૂ કરવા ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય ચે કે, ભારતે વૈક્સિન મૈત્રી પહેલની શરૂઆત કરી છે અને વિશ્વના અન્ય દેશોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવ રહ્યા છે. WHOના કોવૈક્સ પહેલ હેઠળ આર્થિક રીતે કમજોર દેશોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.