Panacea Biotec શું છે
Panacea Biotec ડ્રગ ઇન્ડસ્ટ્રીમાં એક મોટુ નામ છે અને જે મનુષ્ય અને જાનવર બંનેની વેક્સિનનું ઉપ્તાદન કરે છે. આ કંપની 1984માં બનાવવામાં આવી અને 1995 માં લિસ્ટ થઇ હતી.
બ્લોક ડીલ દ્વારા વેચી હિસ્સેદારી
બીએસઇ બ્લોક ડીલ ડાટાના કહ્યાં અનુસાર Panacea Biotec ના 31,57,034 શેર 373.85 રૂપિયા પ્રતિ શૅર વેચી દીધી છે. જેનાથી અદાર પૂનાવાલાને 118.02 કરોડ રૂપિયા મળ્યા છે. આ શેરને આ જ ભાવ પર એક અલગ સોદામાં સીરમ ઇન્સ્ટીટ્યુટે ખરીદી લીધી છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓએ 20 મે બાદ મહારાષ્ટ્રને 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે. ખાસ વાત એ છે કે કોવિડના રસીકરણ પ્રોગ્રામની વચ્ચે રાજ્યોએ રસીની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. અછતને કારણે અનેક રસીકરણ સેન્ટર્સ બંધ કરાયા છે.
આ બાદ અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું- ટોપે
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર અદાર પૂનાવાલાએ 20મે બાદ મહારાષ્ટ્રમાં રસી આપવાનો વાયદો કર્યો છે. એજન્સીા જણાવ્યાનુસાર ટોપેએ કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મુખ્યમંત્રીને 20 મે બાદ કોવિશીલ્ડના 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યુ કે અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું. રાજ્યમાં રસીની અછતના કારણે આ ઉંમરના લોકોનું રસીકરણ બુધવારે રોકી દેવામાં આવ્યુ હતુ.
રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ફક્ત 35000 કોવૈક્સીનના ડોઝ બચ્યા છે. જ્યારે 5 લાખ લોકોને કેવૈક્સીનના બીજા ડોઝ આપનાના છે. રાજ્યમાં હાલ કુલ 2.75 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે. રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે. જે રસીના ડોઝ છે તેનાથી ફક્ત 45થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવશે.