અદાર પૂનાવાલાએ 20મે બાદ મહારાષ્ટ્રને 1.5 કરોડ રસીના ડોઝ આપવાનો વાયદો કર્યો છે.
અદાર પૂનાવાલાએ મહારાષ્ટ્રને 1.5 કરોડ રસીના ડોઝનો વાયદો કર્યો
20 મે બાદ મહારાષ્ટ્રને અપાશે ડોઝ
આ બાદ અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું- ટોપે
સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓએ 20 મે બાદ મહારાષ્ટ્રને 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે. આ વાતની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે આપી છે. ખાસ વાત એ છે કે કોવિડના રસીકરણ પ્રોગ્રામની વચ્ચે રાજ્યોએ રસીની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. અછતને કારણે અનેક રસીકરણ સેન્ટર્સ બંધ કરાયા છે.
આ બાદ અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું- ટોપે
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર અદાર પૂનાવાલાએ 20મે બાદ મહારાષ્ટ્રમાં રસી આપવાનો વાયદો કર્યો છે. એજન્સીા જણાવ્યાનુસાર ટોપેએ કહ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ મુખ્યમંત્રીને 20 મે બાદ કોવિશીલ્ડના 1.5 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યુ કે અમે 18-44 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરી દઈશું. રાજ્યમાં રસીની અછતના કારણે આ ઉંમરના લોકોનું રસીકરણ બુધવારે રોકી દેવામાં આવ્યુ હતુ.
રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ફક્ત 35000 કોવૈક્સીનના ડોઝ બચ્યા છે. જ્યારે 5 લાખ લોકોને કેવૈક્સીનના બીજા ડોઝ આપનાના છે. રાજ્યમાં હાલ કુલ 2.75 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે. રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે. જે રસીના ડોઝ છે તેનાથી ફક્ત 45થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવશે.
રાજ્યમાં લોકડાઉનની શું છે સ્થિતિ
બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આવનારા 15 દિવસ (31 મે) સુધી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કેબિનેટની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે કેને જોયા બાદ 15 દિવસ સુધી લોકડાઉન વધારવામાં આવશે અથવા નહીં તેનો નિર્ણય છેલ્લે ઉદ્ધવ ઠાકરે કરશે. ઉલ્લેખનીય છે કે ટોપેએ કહ્યુ કે ટેસ્ટિંગ વધારવા છતા પણ મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી દરમાં ઘટાડો નથી આવ્યો.