5G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ગ્રૂપની ભાગીદારીના સમાચારને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને સુનિલ ભારતી મિત્તલની એરટેલ માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો હતો, જોકે હવે કંપનીનો 5G પ્લાન બહાર આવ્યા બાદ બંને કંપનીઓની ટેન્શન ઓછી થઈ ગઈ છે
Jio-Airtelનું ટેન્શન સમાપ્ત, ખરેખર અદાણીનો 5G પ્લાન આ છે
અદાણીનો 5G પ્લાન બહાર આવ્યા બાદ બંને કંપનીઓનું ટેન્શન ઓછું થયું
અદાણી ગ્રુપે આગામી 5G સ્પેક્ટ્રમની હરાજી માટે કરી છે અરજી
ટેલિકોમ સેક્ટરમાં કંપનીની એન્ટ્રીથી Jio અને Airtelનું ટેન્શન પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે આગામી 5G સ્પેક્ટ્રમની હરાજી માટે અરજી કરી છે. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં કંપનીની એન્ટ્રીથી Jio અને Airtelની મુશ્કેલીઓ વધી શકે છે. પરંતુ હવે જ્યારે કંપનીનો 5G પ્લાન સામે આવ્યો છે, ત્યારે આ બંને કંપનીઓની ટેન્શન સમાપ્ત થતી જોવા મળી રહી છે.
શું છે અદાણીનો 5G પ્લાન ?
અદાણી ગ્રૂપે સ્પષ્ટ કર્યું છે કે, તે ગ્રાહકોને 5G સેવા પ્રદાન કરવા જઈ રહ્યું નથી. પરંતુ તેને તેના વ્યવસાય માટે 5G સ્પેક્ટ્રમની જરૂર છે. કંપનીને તેના એરપોર્ટ અને પોર્ટ માટે સાયબર સિક્યુરિટી, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ફેક્ટરીઓ, રિટેલથી લઈને ડેટા સેન્ટર્સ અને સુપર એપ્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઝડપી ઈન્ટરનેટની જરૂર છે.
નોંધનીય છે કે, પીટીઆઈએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, અદાણી જૂથ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેશે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને સુનીલ ભારતી મિત્તલની એરટેલ માટે આ એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કંપનીનો 5G પ્લાન સામે આવ્યા બાદ આ બંને કંપનીઓની ટેન્શન ઓછી થતી જોવા મળી રહી છે.
26મી જુલાઈના રોજ હરાજી થશે
સમાચાર અનુસાર ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Ideaએ 26 જુલાઈએ યોજાનારી સ્પેક્ટ્રમની હરાજી માટે અરજી કરી છે. આમાં એન્ટ્રી કરનાર ચોથી કંપની અદાણી ગ્રુપ છે. કંપનીએ તાજેતરમાં નેશનલ લોંગ ડિસ્ટન્સ (NLD) અને ઈન્ટરનેશનલ લોંગ ડિસ્ટન્સ (ILD) લાઇસન્સ મેળવ્યા છે. 5G સ્પેક્ટ્રમની હરાજી માટે સરકાર દ્વારા નિર્ધારિત સમયરેખા અનુસાર, 12 જુલાઈએ અરજી કરનારાઓની માહિતી 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.