પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારેલાં મહેમાનોને આવકાર્યા હતાં. સાથે જ તેમનાં મુખ્યમંત્રીકાળ સહિતનાં 8 વાઈબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે અહીં માત્ર ગુજરાતનાં જ નહીં પરંતુ વિવિધ દેશોનાં લોકોને જોઈને મને ગર્વ થાય છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરનો થયો છે.
ભારત હવે વેપાર માટે તૈયાર થયું છે. આપણે વિશ્વ બેંકનાં ઈઝ ડુઈંગ બિઝનેસમાં મોટી છલાંગ લગાવી છે. હવે એક વર્ષમાં 50ની અંદર જાવું છે. અદાણીએ 55 હજાર કરોડનાં રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ સિમેન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તો રિલાયન્સનાં મુકેશ અંબાણીએ ગુજરાતમાં 10 વર્ષમાં બમણું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી રિલાયન્સે ગુજરાતમાં 3 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
મહત્વનું છે કે વાયબ્રંટ સમિટ 2019ની શરૂઆત થઈ ગઇ છે. ત્યારે આ વાયબ્રંટ સમિટમાં દેશ વિદેશનાં ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. જેમાં બિરલા ગ્રુપનાં ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
આગામી 3 વર્ષમાં બિરલા ગ્રુપ ગુજરાતમાં 15 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. તો બીજી તરફ ટોરેન્ટ ગ્રુપ દ્વારા પણ વાયબ્રંટ સમિટમાં રોકાણ કરવા માટે જાહેરાત કરવામાં આવી. ટોરેન્ટ ગ્રુપે 10 હજાર કરોડનાં રોકાણની જાહેરાત કરી છે.
ટોરેન્ટ ગ્રુપ રિન્યુએબલ એનર્જી ગેસ ડિસ્ટ્રીબ્યુશન જેવાં ક્ષેત્રોમાં રોકાણ કરશે. આ ઉપરાંત અદાણી ગ્રુપ દ્વારા પણ રોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રુપ આવતા પાંચ વર્ષમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે.
આ ઉપરાંત ગુજરાતને આંગણે તારીખ 18થી 20 જાન્યુઆરી દરમ્યાન વાયબ્રંટ ગુજરાત સમિટનું આયોજન કરાયું છે. ત્યારે આ સમિટમાં ધોલેરા માટે 2 અલગ-અલગ MOU પણ કરવામાં આવ્યાં હતાં. જેમાં IIT દિલ્હી ધોલેરામાં એજ્યુકેશન હબની સ્થાપના કરશે તો ચીનની કંપની સ્ટેઈનલેસ સ્ટીલનો પ્લાન્ટ પણ સ્થાપશે તેમજ રાજસ્થાનને દરિયા કિનારો ન હોવાંથી રાજસ્થાનમાં રિફાઈનરી સ્થાપવા માટે પણ MOU કરવામાં આવ્યાં હતાં.