અદાણી ગ્રુપની સામે છેતરપિંડીના આરોપો પર વિપક્ષી દળોની તરફથી ચર્ચાની માંગ. વિપક્ષનાં હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવાઈ છે.
વિપક્ષે ફરી સંસદમાં મચાવી ધૂમ
અદાણી ગ્રુપ સામે છેતરપિંડીના આરોપો પર ચર્ચાની માંગ
કકળાટને લીધે ગૃહોની કાર્યવાહી કરી દેવાઈ સ્થગિત
અદાણી ગ્રુપની સામે છેતરપિંડીના આરોપો પર ચર્ચા અને તપાસને લઈને ગુરુવારે વિપક્ષી દળોએ સંસદનાં બંને સદનોમાં ધમાલ મચાવી હતી. આ કકળાટને લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. 9 વિપક્ષી દળઓએ અદાણી ગ્રુપની સામે અમેરિકાની શોર્ટસેલિંગ કંપની હિડનબર્ગ રિસર્ચનાં આરોપો પર સંસદમાં ચર્ચાની માંગ કરી છે.
हमने तय किया कि सदन में इस पर चर्चा करेंगे कि जिनका पैसा LIC में है या अन्य संस्थानों में है वो कैसे बर्बाद हो रहा है। लोगों का पैसा चंद कंपनियों को दिया जा रहा है जिसकी रिपोर्ट आने से कंपनी के शेयर्स गिर गए हैं: कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे, दिल्ली pic.twitter.com/qokxxY5J5o
વિપક્ષે કરી આ માંગો
વિપક્ષીદળોએ હિડનબર્ગ રિસર્ચની તરફથી છેત્તરપિંડીનાં દાવાઓ બાદ અદાણી સમૂહનાં શેરોમાં થઈ રહેલા સતત ઘટાડાથી ભારતીય રોકાણકારો માટે જોખમનાં મુદે ચર્ચા કરવાની માંગ કરી. તેમણે સંસદીય પેનલ કે સુપ્રીમ કોર્ટની તરફથી નિયુક્ત સમિતિથી તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે અદાણી એન્ટરપ્રાઈઝિઝનાં મામલાને લઈને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં પ્રધાન ન્યાયાધીશની દેખરેખ હેઠણ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ અને તેની રિપોર્ટ દરરોજ જાહેર થવી જોઈએ.
જયરામ રમેશે અદાણી સમૂહ પર કટાક્ષ કર્યું
મુખ્ય વિપક્ષી દળોએ એ પણ કહ્યું કે જાહેર બેંકો અને ભારતીય જીવન વિમા નિગમ LICનાં અદાણી સમૂહનાં રોકાણ અને રોકાણકારોનાં હિતોની સુરક્ષાને લઈને સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે અદાણી સમૂહ પર કટાક્ષ કરતાં ટ્વીટ કર્યું કે અદાણીનું નૈતિકરૂપે સાચું હોવાની વાત કહેવું એવું જ છે જેવું તેમના પ્રધાન મેન્ટરની તરફથી વિનમ્રતા, સાદગી અને વિશાલ હ્રદયતાનાં સદ્ગુણોનો ઉપદેશ આપવો. આ સમગ્ર પોલિટિકલ સાયન્સ છે.
વિપક્ષીદળોએ બુધવારે કરી હતી એક બેઠક
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સંસદનાં હાલનાં બજેટ સત્રમાં પોતાની રણનીતિને લઈને બુધવારે ચર્ચા કરી હતી અને નિર્ણય કર્યો કે તે અદાણી એન્ટરપ્રાઈઝથી જોડાયેલા મુદાઓ અને કેટલાક અન્ય વિષયોને આ સત્ર દરમિયાન ઊઠાવશે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સંસદ ભવન સ્થિત કક્ષમાં થયેલ બેઠકમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસનાં સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓબ્રાયન, આપનાં સંજયસિંહ વગેરે કેટલાક અન્ય દળોનાં નેતાઓ હાજર હતાં.