મહારાષ્ટ્ર સરકારે થાણે-રાયગઢ વિસ્તારમાં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલન માટે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડને મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્ર સરકારે અદાણી જૂથની કંપનીને નવી મુંબઈ એરપોર્ટ સોંપ્યું
થાણે-રાયગઢ વિસ્તારમાં 1160 હેક્ટર વિસ્તારમા બની રહ્યું છે એરપોર્ટ
2023-24 ની સાલમાં શરુ થવાની સંભાવના
ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમા મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં અદાણીને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે.
થાણે-રાયગઢ વિસ્તારમાં બની રહ્યું છે એરપોર્ટ
થાણે-રાયગઢ વિસ્તારમાં જાહેર અને ખાનગી ભાગીદારી હેઠળ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. અગાઉ GVK ગ્રુપને એરપોર્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું સંચાલન કરી રહ્યું હતું. પરંતુ ગયા વર્ષે આ એરપોર્ટના સંચાલનનું કામ અદાણી ગ્રુપની કંપનીને ફાળવી દેવાયું હતું. સિવિલ એવિએશન વિભાગ દ્વારા તેને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.
2023-24 ની સાલમાં બનીને તૈયાર થવાની સંભાવના
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ 1160 હેક્ટર વિસ્તારમા બંધાઈ રહ્યું છે તથા 2023-24 ની સાલમાં બનીને તૈયાર થવાની સંભાવના છે. આ એરપોર્ટ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બન્ને માટે દેશનું મહત્વનું એરપોર્ટ બને તે નક્કી છે.