એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે અદાણી ગ્રુપે આજથી અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો હવાલો સાંભળ્યો છે.
એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટનો હવાલો સત્તાવાર રીતે અદાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને સોંપવામાં આવ્યો છે. આ દરમિયાન એરપોર્ટ ઓથોરિટી અને અદાણી કંપનીના સિનિયર કોર્પોરેટ્સ હાજર રહ્યા હતા.
On 6th Nov'20 at 00:00 midnight, #AAI's senior officials exchanged Memorandum & handed over Ahmedabad @ahmairport to @AdaniOnline. Sh A.K Verma, APD, AMD exchanged symbolic key in accordance with concession agreement & future development. pic.twitter.com/vKECyC6u49
નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટીએ આ પહેલા લખનૌ એરપોર્ટ અને મેન્ગલુરુ એરપોર્ટ અદાણી ગ્રુપને લીઝ ઉપર 50 વર્ષ માટે આપેલ છે.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019ના રોજ દેશના 6 ટોચના એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું જેમાં લખનૌ, અમદાવાદ, જયપુર, મેન્ગલુરુ, તિરુવનંતપુરમ અને ગુવાહાટી આ 6 એરપોર્ટનો સમાવેશ થાય છે.
બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને અદાણીએ 50 વર્ષ માટે આ તમામ એરપોર્ટના ઓપરેશનનો હવાલો સંભાળ્યો છે.