ભારતીય નૌસેનાની 6 સબમરિનનું નિર્માણ કરવાનું હતું જેમાં અદાણી જૂથે પણ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે આ પ્રસ્તાવ મઝગામ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) અને લાર્સન એન્ડ ટ્રુબ્રો (એલએન્ડટી)ને મળ્યો છે. ઉલ્લેનીય છે કે 50 હજાર કરોડ નાં પી- 75 આઈ પ્રોજેક્ટ માટે અદાણી ડિફેન્સ, એયરોસ્પેસ અને હિંદુસ્તાન શિપયાર્ડ લિ.એ પ્રસ્તાવ મુક્યો હતો. જોકે હાઈ પાવર કમિટીએ તેમા ટેક્નિકલ ખામી હોવાને કારણે તેને ફગાવી દીધા હતાં.
દેશની દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ મહત્વનો
સબમરીન પ્રોજેક્ટમાંથી અદાણી જૂથને બહાર કરવામાં આવ્યું છે
45 હજાર કરોડનાં સબમરીન પ્રોજેક્ટમાં અદાણી જૂથને બહાર કરવામાં આવ્યું છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોજેક્ટને લઈ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોજેક્ટમાં સામેલ કરવા અંગે અદાણી સામે વાંધો ઉઠાવ્યો હતો. તો હાલ ભારતીય નૌસેના પાસે 16 સબમરીન છે અને દેશની દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ મહત્વનો છે.
રક્ષા અને સેનાં આ મુદ્દે સામ સામે પણ આવ્યા હતાં
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપને સબમરીનનો કોન્ટ્રાક્ટ આપવા બાબતે રક્ષા મંત્રાલય અને નૌ સેના સામ સામે આવી હતી. 45000 કરોડ રુપિયાનાં આ 75 -Iપ્રોજેક્ટ માટે અદાણી ડિફેન્સ અને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ(HSL) જોઈન્ટ વેન્ચર હેઠળ પ્રસ્તાવ મુંકવામાં આવ્યો હતો. જેને નેવીએ ફગાવી દીધો હતો. એક તરફ નેવી તેના વિરોધમાં છે તો બીજી તરફ રક્ષા મંત્રાલયનું કહેવું હતું કે આ પ્રકારનાં જોઈન્ટ વેન્ચરને તક આપવી જોઈએ. મંત્રાલયનું કહેવું છે કે આ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા હેઠળનો સૌથી મોટા ડિફેન્સ પ્રોજેક્ટમાંનો એક છે.
અદાણીને સબ મરીનનો અનુભવ નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં મિત્રોને ફાયદો કરાવવા પાછલા દરવાજે એન્ટ્રી અપાવી કહ્યાં છે. અદાણી ડિફેન્સને સબમરીન બનાવવાનો કોઈ અનુભવ નથી.