દેશમાં અનેક સરકારી ક્ષેત્રો ખાનગી માલિકોને હવાલે કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, ઉડ્ડયન જેવા અનેક ક્ષેત્રો સંચાનલ માટે ખાનગી માલિકોને સોંપમવામાં આવી રહ્યા છે આ તબક્કામાં અમદાવાદ સહિત દેશના અન્ય પાંચ એરપોર્ટ સંચાલનની જવાબદારી અદાણીગ્રૂપને સોંપવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા.
સરકાર દ્વારા અનેક જાહેરક્ષેત્રો ખાનગી માલિકોને સંચાલન અર્થે સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા એ દેશના 6 એરપોર્ટના અપગ્રેડેશન અને સંચાલન માટે મૂકેલી બીડ્સમાંથી 5 બિડ્સ અદાણી ગ્રુપને મળી છે. આથી અદાણી ગ્રુપને દેશના 5 એરપોર્ટ્સનું 50 વર્ષ સુધી સંચાલન કરશે.
આ એરપોર્ટમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસ દ્વારા વિરોધ અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
એરપોર્ટના ખાનગીકરણને લઇને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે અદાણી ગ્રુપને ફાયદો પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ મામલે જણાવ્યુ હતું કે દેશના 25 એરપોર્ટના ખાનગીકરણની તૈયારી થઇ રહી છે. દેશના 123 એરપોર્ટમાંથી 14 એરપોર્ટ ફાયદામાં છે. ફાયદાવાળા 14 એરપોર્ટમાંથી 5 અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યા છે. નીતિ આયોગે એક કંપનીને 2થી વધુ એરપોર્ટ ન સોંપવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુદ્રા પોર્ટ, કચ્છ મેડિકલ કોલેજ પછી એરપોર્ટ પર પણ અદાણીનો કબજો થયો છે. સરકારની ખાનગી કરણની નીતિ પર વિપક્ષે પ્રહાર કર્યા હતા.