આદિત્ય એસ્ટેટ્સના બંગલા પર હરાજી કરવામાં આવી હતી અને આ બંગલાને ખરીદવા માટે ભારતના નામી લોકોએ બોલી લગાવી હતી જો કે આખરે આ બંગલો તો ગૌતમ અદાણીનો જ થયો હતો. આદિત્ય એસ્ટેટ્સના ૯૩ ટકા લેણદારો પણ અદાણીની બોલીના પક્ષમાં હતા. એનસીએલટીના દસ્તાવેજો પ્રમાણે નાદારી પ્રક્રિયામાં બંગલાની કિંમત માત્ર ૨૬૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અદાણી પ્રૉપર્ટીઝને પાંચ કરોડ રૂપિયાની ગૅરન્ટી અને ૧૩૫ કરોડ રૂપિયા કન્વર્ઝેશન ચાર્જ ચૂકવવો પડશે.
અદાણીએ 400 કરોડનો બંગલો ખરીદ્યો
આ બંગલાને નારાયણ મૂર્તિ પણ ખરીદવા માંગતા હતા
બંગલો 3.4 એકરમાં ફેલાયેલો છે.
બંગલો 3.4 એકરની જમીનમાં ફેલાયેલો છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દિલ્હીના અલ્ટ્રા પોશ એરિયા લુટિયન્સમાં ૪૦૦ કરોડ રૂપિયામાં આલીશના બંગલો મળી ગયો છે. આ બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૨૫,૦૦૦ સ્ક્વેર ફુટ છે એમાં ૭ બેડરૂમ, ૬ ડાઇનિંગ રૂમ, એક સ્ટડી રૂમ અને ૭૦૦૦ સ્ક્વેર ફુટમાં સ્ટાફ ક્વૉર્ટર્સ બનેલાં છે. આ બંગલાને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ ખરીદવા માગતા હતા. આ બંગલાની કિંમત આદિત્ય એસ્ટેટસે થોડા વર્ષો પહેલા 1000 કરોડ આંકી હતી. આ બંગલો 3.4 એકરની જમીનમાં ફેલાયેલો છે.
બંગલાની જે કિંમત આંકવામાં આવી છે તે બજાર કિંમત કરતા ઓછી છે.
1985માં આ બંગલો આદિત્ય એસ્ટેટ્સે ખરીદી લીધો હતો. ICICI બેન્ક યુકેએ ધિરાણની રિકવરી કરવા માટે 26 ફેબ્રુઆરીએ આદિત્ય એસ્ટેટ્સ વિરુદ્ધ અરજી કરી હતી. અને બંગલા માટે હરાજી કરવામાં આવી હતી અને આ હરાજીમાં નારાયણ મૂર્તિ, હેવેલ્સના ચેરમેન અનિલ રાય ગુપ્તા અને વીણા ઇન્વેસ્ટમેન્ટ શામિલ થયા હતા. નાદારી પ્રક્રિયામાં બંગલાની જે કિંમત આંકવામાં આવી છે તે બજાર કિંમત કરતા ઓછી છે.
બંગલાની કિંમત માત્ર ૨૬૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ ૧૪ ફેબ્રુઆરીએ અદાણી ગ્રુપની કંપની અદાણી પ્રૉપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આદિત્ય એસ્ટેટ્સના ૯૩ ટકા લેણદારો પણ અદાણીની બોલીના પક્ષમાં હતા. એનસીએલટીના દસ્તાવેજો પ્રમાણે નાદારી પ્રક્રિયામાં બંગલાની કિંમત માત્ર ૨૬૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અદાણી પ્રૉપર્ટીઝને પાંચ કરોડ રૂપિયાની ગૅરન્ટી અને ૧૩૫ કરોડ રૂપિયા કન્વર્ઝેશન ચાર્જ ચૂકવવો પડશે.