જે દિવસથી અદાણી ગ્રુપને લઈને હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો છે. તે દિવસથી અદાણી ગ્રુપના શેરમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપ ઘટવાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો સામે આવ્યો છે.
હિંડનબર્ગનો રિપોર્ટ બાદ આદાણીના શેરમાં ઘટાડો
ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો
હવે Fitch ના રિપોર્ટમાં આઠ કંપનીઓ માટે રાહતના સમાચાર
અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે. દરરોજ તૂટતા શેરોની વચ્ચે શુક્રવારે અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે અદાણી ગ્રુપની આઠ કંપનીઓ માટે પોઝિટિવ રેટિંગ જાહેર કરી છે. સાથે જ રેટિંગ એજન્સીઓએ કહ્યું છે કે હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રુપના ક્રેડિટ પ્રોફાઈલ પર તત્કાલ રીતે નથી પડ્યો.
રોકાણકારો ચિંતામાં
પરંતુ હજુ પણ રોકાણકારોના માથા પર ચિંતાની રેખાઓ જાવો મળી રહી છે. કારણ કે શેરોમાં કંઈ ખાસ સુધાર જોવા નથી મળી રહ્યો. જોકે આ મુશ્કેલ સમયમાં અદાણી ગ્રુપ માટે ખુશખબર લઈને આવ્યો છે ફિચનનો રિપોર્ટ. જે રોકાણકારો માટે જાણવું જરૂરી છે.
રેટિંગ એજન્સી ફિચની મોટી વાતો
ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે સ્પષ્ટ કહી દીધુ છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ક્રેડિટ પ્રોફાઈલ તત્કાલ રીતે પ્રભાવિત નથી થાયો.
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચનું કહેવું છે કે અમે અદાણી ગ્રુપની કંપનીઓના કેશ ફ્લો પર નજર રાખી રહ્યા છીએ. નજીકના સમયમાં કોઈ રિ-ફાઈનાન્સિંગ સાથે જોડાયેલા રિસ્ક અથવા લિક્વિડિટીનું જોખમ નથી દેખાતું.
ફિચે જણાવ્યું કે તે રેટેડ એકમોના લાંબા સમયમાં ફાઈનાન્સિંગના ખર્ચમાં મોટા ફેરફાર પર પણ નજર રાખી છે. તે ઉપરાંત એજન્સીઓનું કહેવું છે કે રેગ્યુલેટરી અથવા કાયદાના મામલામાં આ ESG સંબંધી મામલાઓથી ક્રેડિટ પ્રોફાઈલ પર અસર પડી શકે છે.
રેટિંગ એજન્સીનું કહેવું છે કે સ્મોલ ટર્મમાં ઓફશોર બોન્ડની મેચ્યોરિટી નથી થવાની. જૂન 2024માં અદાણીની પોટ્સનું, ડિસેમ્બર 2024માં અદાણી ગ્રીન એનર્જી અને બાકીની કંપનીઓનું બોન્ડ 2026 અથવા તેના બાદ મેચ્યોર થશે. ફિચે હાલ અદાણી ગ્રુપની આઠ કંપનીઓની રેટિંગ આપી છે.