અદાણી એરપોર્ટે તેના દેશના 6 એરપોર્ટસી સાથે સાથે દેશના સૌથી અગત્યના એરપોર્ટ ગણાતા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ એકવાયર કરી દીધું છે.
આ મુદ્દે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે આ બંને એરપોર્ટ એક્વાયર કરવાથી કંપનીના બિઝનેસ ટુ બિઝનેસ B2B અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર B2C મોડેલને નવી દિશા આપવાની તક મળશે.
મુંબઈશહેર છે દેશનું આર્થિક કેન્દ્ર
આ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે મુંબઈ દુનિયાના ટોચના 5 મેટ્રોપોલિટન વિસ્તારોમાંથી એક બનવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે દેશ વિદેશના તમામ મુસાફરો અને માલસામાનની હેરફેર માટે અને દેશના ટીયર 1,2 અને 3 પ્રકારના શહેરોને જોડવા માટે મુંબઈ સૌથી અગત્યનું કેન્દ્ર ગણાય છે.
શું છે અદાણીનું લક્ષ?
અદાણીનો ધ્યેય છે કે દેશમાં એરપોર્ટ્સ, જે શહેરના રિયલ એસ્ટેટ, ઈ કોમર્સ, માલસામાન પરિવહન, ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસના વિકાસ માટે અગત્યનો ભાગ ભજવતા માનવામાં આવે છે, તેમના સારા અને ઝડપી બાંધકામ વડે ટીયર 1,2 અને 3ના શહેરો અને નગરોને એકબીજા સાથે જોડવા અને દેશમાં ગામ અને શહેરો વચ્ચેની વધતી જતી ખાઈને ઘટાડીને બંનેનો સુસંગત વિકાસ કરવો.
અદાણી એરપોર્ટ વિષે
અદાણી એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઈઝની સબસીડી છે. તેઓને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી ટેન્ડર વડે દેશના 6 એરપોર્ટ્સ અમદાવાદ, લખનૌ, મેંગ્લોર, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમનું ઓપરેશન સાંભળ્યું છે. આ ઓપરેશનની અવધિ 50 વર્ષ સુધીની છે.