મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે બ્લડ બેન્કમાં લોહી ખૂટી પડ્યું છે ત્યારે યુવાનોને રક્ત દાન કરવાં માટે અપીલ કરવામાં આવી રહી છે.
દેશમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર મહારાષ્ટ્રમાં
મહારાષ્ટ્રમાં ખૂટી પડ્યું લોહી
કેબિનેટ મંત્રીએ લોકોને રકતદાન કરવા કરી અપીલ
કેબિનેટ મંત્રીએ યુવાનોને કરી અપીલ
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા ડૉ. જિતેન્દ્રએ યુવાનોને અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વિટ એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં લોહીની કમી થઈ રહી છે. બ્લડ બૅન્ક સુકાઈ ગયા છે અને અમારા પાસે માત્ર 7કે 8 દિવસનું જ લોહી બચ્યું છે. સમયની માંગ છે કે લોકો બહાર આવે અને રક્ત દાન કરે. યુવાનોને અપીલ કરું છું કે સ્વેચ્છા અને નિસ્વાર્થ ભાવથી રક્તદાન કરો.
There is an acute shortage of blood in #Maharashtra.Blood banks are running dry & we have blood only to suffice for next 7 to 8 days. It's dire need of the hour for people to come forward & #donateblood
I appeal to the youth :- 'voluntarily & selflessly' #DonateBloodSaveLives
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસે પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડ્યું અને મુંબઈમાં નવા નોંધાયેલા કેસોએ બધા રેકોર્ડ તોડી નાંખ્યા. ગુરુવારે મહારાષ્ટ્રમાં 43,183 નવા કેસ સામે આવ્યા છે જ્યારે મુંબઈમાં 8,646 કેસ નોંધાયા છે.
કોરોનાના રેકોર્ડબ્રેક કેસ
દેશમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધૂમ પ્રચાર થઈ રહ્યો છે ત્યાં દેશમાં કોરોના વાયરસ પણ નોનસ્ટૉપ કહેર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસના આંકડા દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
શુક્રવારે કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં નવા 81 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ અનુસાર કોરોના વાયરસનો કહેર હવે 6 મહિનાના ટોપ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં મોતનો આંકડો 1 લાખ 63 હજારને પાર થઈ ગયો છે.
આઠ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન
નોંધનીય છે કે આંકડા અનુસાર ભારતમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેમાંથી 84.61% કેસ આ આઠ રાજ્યોમાંથી જ સામે આવી રહ્યા છે. આ આઠ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
વિવિધ રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ઉછાળાને જોતાં કેન્દ્ર સરકાર દ્વારા બધા જ રાજ્યોમાં વેક્સિનેશનની કામગીરીને તેજ બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં વિવિધ જિલ્લાઓમાં વિવિધ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે સાથે કોરોના વાયરસથી બચવા માટે માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સના નિયમોને પણ કડક કરી દેવામાં આવ્યા છે.