સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન અને બુમરાહ લગ્ન કરી શકે છે તેની ચર્ચા એટલા માટે હતી કારણકે બુમરાહે બીસીસીઆઇ પાસે વધારે રજા માંગી હતી અને અનુપમા પણ ગુજરાત આવી ગઇ છે. આ કારણોને લીધે લોકો માની રહ્યાં હતા કે અનુપમા અને બુમરાહ લગ્ન કરી લેશે પરંતુ હવે અનુપમાની માતાએ મૌન તોડ્યુ છે.
અનુપમા પહોંચી દ્વારકા
ગુજરાતનુ દ્વારકા ફરવા માટે બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. બુમરાહે રજા લીધી તે બાદ અનુપમાએ સ્ટોરી શૅર કરી હતી કે તે દ્વારકા પહોંચી છે. સાથે જ તેણે લખ્યું કે હેપ્પી હોલી ડે ટુ મી. અનુપમાની માતાએ આ વાત નકારી છે કે તે બુમરાહ સાથે લગ્ન કરશે.
અનુપમાના પરિવારના લોકોએ આ વાતનું ખંડન કર્યુ છે કે બુમરાહ અને અનુપમા લગ્ન કરશે. તેણે કહ્યું કે અનુપમા એક્ટ્રેસ છે અને શુટિંગ કરવા માટે તેણે ભારત કે દુનિયાના કોઇ પણ ખુણે જવું પડી શકે છે. હાલમાં તે ફિલ્મના શૂટિંગ માટે ગુજરાત ગઇ છે.
અનુપમા હાલમાં અથર્વની ફિલ્મ Thali Pogatheyમાં કામ કરી રહી છે અને આ ફિલ્મને કન્નને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમિતાશ પ્રધાન, કાલી વેંકટ, જગન પણ છે.