સુશાંતના મૃત્યુ બાદ તેમના પરિવાર અને ફેન્સ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે હવે તે દુનિયામાં નથી રહ્યાં. ત્યારે તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારાથી ડેબ્યુ કરનાર સંજના સંઘી સદમામાં છે. સંજનાએ સુશાંત માટે એક ભાવૂક પોસ્ટ લખી છે.
દિલ બેચારા ઇમોશનલ
સંજનાએ કર્યો સુશાંતને યાદ
ભાવૂક થઇ સંજના
સંજનાએ લખ્યુ છે કે લોકો ખોટુ બોલે છે કે સમય સાથે દરેક પિડામાંથી મુક્તિ મળે છે પરંતુ કેટલીક પિડા એવી હોય છે કે જાણે શરીરમાંથી લોહી વહી રહ્યુ હોય તેવુ લાગે છે. અમે એક સાથે હસ્યા પણ હવે ક્યારેય અને એક સાથે નહી હસી શકીએ.
એવા કેટલાય સવાલ છે જેના જવાબ ક્યારેય નહી મળે, અવિશ્વાસ માત્ર ને માત્ર વધે છે. આવી એક પિડા આ ફિલ્મ પણ આપશે. ફિલ્મ એક ગીફ્ટ છે જે હજૂ સુધી રિલીઝ થઇ નથી.
સંજના આગળ લખે છે કે, સુશાંત હુ તમને પ્રોમિસ કરુ છુ કે એ દરેક સપના પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. તમે પ્રોમિસ કર્યુ હતુ કે આપણે સૌ એક સાથે કામ કરીશું.
તમને જણાવી દઇએ કે, સુશાંતના મોત બાદ બોલિવૂડના કેટલાક દિગ્ગજો પર ફેન્સ ભડકી ઉઠ્યા છે. ખાસ કરીને આલિયા ભટ્ટ, કરન જોહર અને સલમાન ખાન ફેન્સના નિશાને આવ્યા છે.