દૂરદર્શને લોકડાઉનમાં દર્શકો માટે તેના 80-90ના દાયકાના હિટ શોઝ ફરી પ્રસારિત કર્યાં છે. આ સાથે દૂરદર્શનના પણ દિવસો બદલાય ગયા અને ચેનલને છપ્પરફાડ વ્યૂઅરશિપ મળી રહી છે. આ શોઝ શરૂ થવાની સાથે શોમાં કામ કરી ચૂકેલાં કલાકારો ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે અને તેઓ હાલ ક્યાં છે અને શું કરી રહ્યાં છે તેની ચર્ચાઓ થવા લાગી. ત્યારે બી.આર ચોપડાની સીરિયલ મહાભારતમાં રાજકુમારી ઉત્તરાની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ વર્ષા ઉસગાંવકર હાલ ગુમનાવીમાં જીવી રહી છે.
દૂરદર્શનને જૂના શો પ્રસારિત કરતા મળી રહી છે છપ્પરફાડ વ્યૂઅરશિપ
બી.આર ચોપડાની મહાભારતના કલાકારો પણ ચર્ચામાં છે
રાજકુમારી ઉત્તરાનો રોલ કરનાર એક્ટ્રેસ વર્ષા ઉસગાંવકર છે ગુમનામ
જાણીતી મરાઠી એક્ટ્રેસ વર્ષા ઉસગાંવકરે મહાભારતમાં રાજકુમાર અભિમન્યુની પત્ની રાજકુમારી ઉત્તરાનો રોલ નિભાવ્યો હતો. હાલમાં જ વર્ષાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર મહાભારતથી જોડાયેલી જૂની યાદો શેર કરતાં તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે રાજકુમારી ઉત્તરાના અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીર ઘણી જ જૂની છે. આ તસવીરમાં વર્ષા આલીશાન કોસ્ચ્યૂમમાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરીને તેણે લખ્યું- મહાભારતમાં ઉત્તરાના રોલમાં.
હવે વાત કરીએ તેની એક્ટિંગની તો વર્ષાએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં પણ તેણે ઘણી હિટ ફિલ્મો કરી છે. પરંતુ તે આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી શકી નહીં. તે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવા છતાં આજે ગાયબ છે. તેણે રજનીકાંત, જયા પ્રદા, વિનોદ ખન્ના જેવા સ્ટાર્સની ફિલ્મ 'ઇન્સાનિયત કા દેવતા'થી ડેબ્યૂ કર્યું હતું. વળી, તેણે 'તિરંગા', 'ખાલનાયિકા', 'દૂધ કા કર્ઝ' જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી હતી. જોકે, આવી મોટી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી શકી નથી.
વર્ષાએ અક્ષય કુમાર સાથે ફિલ્મ 'હત્યા'માં પણ કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ લાંબા સમય સુધી હોલ્ડ પર રાખવામાં આવી હતી. આ પછી આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ સફળતા મેળવી શકી નહીં અને ફિલ્મ ફ્લોપ ગઈ હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી. આ પછી તે માત્ર મરાઠી ફિલ્મોમાં જ જોવા મળી હતી.