ટીવી સ્ટાર્સ વચ્ચે નિરાશાનુ મોજુ ફરી વળ્યુ છે કારણકે મશહૂર અભિનેત્રી સંગીતાનુ નિધન થઇ ગયુ છે. સંગીતા શ્રીવાસ્તવે ઇસ પ્યાર કો ક્યા નામ દૂ, થપકી પ્યાર કી જેવી સિરીયલ્સમાં કામ કર્યુ છે. સંગીતા ઘણા લાંબા સમયથી બિમાર હતી.
સંગીતા શ્રીવાસ્તવનું નિધન
ટીવી ઇન્ડસ્ટ્રીમાં હતુ મોટુ નામ
થપકી પ્યાર કીમાં કર્યો હતો અભિનય
સંગીતા શ્રીવાસ્તવ છેલ્લા થોડા સમયથી વસ્ક્યુલિટીસ નામની બિમારીથી પિડાઇ રહી હતી. જેથી તેમને મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીવી સિરીયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. આ સિરીયલ વર્ષ 2011માં શરૂ થઇ હતી. 2020 ભારતીય મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ખરાબ સાબિત થયુ છે. એક બાદ એક સિતારા દુનિયા છોડીને જઇ રહ્યાં છે.
છેલ્લા કેટલાક મહિનામાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક સેલેબ્સે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રી હચમચી ગઇ હતી.