રાખીના ચાહકો સતત એ જાણવા ઉત્સુક છે કે રાખીનો ભવિષ્યનો પ્લાન શું છે ? શું બધું યોગ્ય થઈ ગયા પછી તે ફરી આદિલ સાથે રહેશે કે તેને છૂટાછેડા આપી નવી જિંદગી શરુ કરશે. હાલમાં જ આ અંગે રાખી સાવંતે સ્પષ્ટતા કરી છે.
રાખી સાવંત તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં
એક્ટ્રેસે કહ્યું મુંબઈ આવી ત્યારે મારો કોઈ ગોડફાધર નહોતો
રાખીએ કહ્યું, જિંદગીમાં ફરી ક્યારેય લગ્ન કરીશ નહીં
બોલીવૂડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંત આજકાલ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીના માતાનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. ત્યારબાદ લગ્નજીવનને લઈને પણ સતત ચર્ચામાં છે. રાખી સાવંતનો પતિ આદિલ હાલમાં જેલમાં છે. રાખીએ આદિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાખીના ચાહકો સતતએ જાણવા ઉત્સુક છે કે રાખીનો ભવિષ્યનો પ્લાન શું છે ? શું બધું યોગ્ય થઈ ગયા પછી તે ફરી આદિલ સાથે રહેશે કે તેને છૂટાછેડા આપી નવી જિંદગી શરુ કરશે.
સામાન્ય થઈ રહી છે જિંદગી
રાખી સાવંતે હાલમાં જ મીડિયા સામે પોતાના ભવિષ્યના પ્લાન પર ચર્ચા કરી હતી. જેમાં તેણે દુબઈમાં પોતેની એકેડમીને લઈને પણ ચર્ચા કરી હતી. રાખીએ કહ્યું, મારી એકેડમીમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓ માટે મારી પાસે પ્લાન છે. તેમને બોલિવૂડમાં સ્ટેજ આપવુ છે. રિયાલિટી શોમાં સારા સિંગરોની જરૂર હોય છે અને દુબઈમાં રાખી સાવંત એકેડેમી પાસે પ્રતિભાનો ભંડાર છે. મુંબઈમાં પણ એક એકેડેમી ખોલવાની તૈયારી બતાવી હતી. મારા પાર્ટનર્સે મારી ઘણી મદદ કરી છે. રાખી સાવંતે આગળ કહ્યું, મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે. મેં મુશ્કેલીમાં દિવસો પસાર કર્યા છે. પરંતુ હવે મારા જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે એવોર્ડ્સ માટે મારુ નોમિનેશન થયું છે. હું મારી એકેડમી લોન્ચ કરવાની છું. આદિલે મને ઘણી પાછળ ધકેલી છે. પણ ભગવાને મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી છે. તેમાં લોકો અને મીડિયાએ પણ મને ઘણી મદદ કરી છે.
હું હવે પહેલા કરતા વધારે મજબૂત
એક્ટ્રેસ રાખીએ કહ્યું, હું જીવનમાં હારી ગઈ હતી. હું એ તમામનો આભાર માનું છું જેણે મને મદદ કરી છે. હું જ્યારે મુંબઈ આવી ત્યારે મારો કોઈ ગોડફાધર નહોતો. પરંતુ હું હવે દરેકની ગોડમધર બનવા માંગુ છું. હું પ્રતિભાને સહારો આપવા માંગુ છું. મારી એકેડમી દરેક પ્રકારની પ્રતિભાને મદદ કરવા માંગે છે. રાખીએ આગળ કહ્યું, હું મજબૂત છું અને વધારે મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી છું. મેં જિંદગીમાં હાર માની લીધી હતી પરંતુ તમારા પ્રેમે મને ફરીથી ઉભી થવાની તાકાત આપી છે.
આદિલની સામે રાખી શરત
રાખી સાવંતે આગળ કહ્યું, આદિલે મને મૈસૂર જેલમાં બોલાવી અને કહ્યું કે તે મારી જિંદગીમાં પરત આવવા માંગે છે. તેને એક તક જોઈએ છે. હું આદિલના પગમાં પડી હતી અને કહ્યું હતું કે મારા ઘરે પાછો આવીજા. મેં તેને બધું છોડીને મારી સાથે રહેવા કહ્યું હતું. શું આદિલ મને મારી મા પાછી આપી શકશે ? મારું સન્માન પરત આપી શકે છે ? રાખીએ કહ્યું, જો આદિલ પરત આવવા માંગતો હોય તો તેણે આ વાત લેખિતમાં આપવી પડશે કે તે મને ક્યારેય દગો નહી આપે. મને ફિઝિકલી ટોર્ચર નહી કરે અને મારી પાસેથી જે પૈસા લીધા છે તે પરત કરશે. મેં જ્યારે આ બધી વાત તેને કહી તો તેણે કહ્યું કે તે લેખિતમાં આપી શકે તેમ નથી. શું તે બદલો લેવા માટે આવવા માંગે છે અને મને મારવા માટે ? રાખી સ્પષ્ટપણે કહેવું છે કે હું આદિલને તલાક નહીં આપુ, કારણ કે હું કોઈ બીજી મહિલાનું જીવન બરબાદ થવા નહીં દઉં. હું જિંદગીમાં ફરી ક્યારેય લગ્ન કરીશ નહીં અને ન તો મારો બાળકો કરવાનો કોઈ પ્લાન છે. મારા વિદ્યાર્થીઓ જ મારા બાળકો છે.