કોરોના વાયરસ સામે લડી રહેલા મહારાષ્ટ્ર પર નિસર્ગ નામના ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. આ ચક્રવાતના ભયને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન નિસર્ગ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સની પણ ચિંતા વધી ગઈ છે. પ્રિયંકા ચોપડાને પણ ચિંતા થઈ રહી છે. જેથી તેણે એક ટ્વિટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
નિસર્ગ વાવાઝોડુ આજે એટલે કે બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ મુંબઇથી 94 કિલોમીટર દૂર અલીબાગના કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ત્યારે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
#CycloneNisarga is making its way to Mumbai, my beloved home city of more than 20 million people, including my mom and brother. Mumbai hasn't experienced a serious cyclone landfall since 1891, and at a time when the world is so desperate, this could be especially devastating. pic.twitter.com/zgne0vVpnR
પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કરીને લખ્યું કે, સાઈક્લોન નિસર્ગ મારા પ્રિય શહેર મુંબઈમાં પ્રવેશ કરવાનો રસ્તો બનાવી રહ્યો છે. જ્યાં મારી મોમ અને ભાઈની સાથે 2 કરોડથી પણ વધુ લોકો રહે છે. પ્રિયંકાના આ ટ્વિટની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેનું આ ટ્વિટ વાયરલ પણ થઈ રહ્યું છે. યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. તેણે લખ્યું- મુંબઈએ 1891 બાદથી આવા ભયાવહ ચક્રવાતનો સામનો નથી કર્યો અને અત્યારે જ્યારે દુનિયા એટલી નિરાશ છે ત્યારે આ ખાસ કરીને વિનાશક હોઈ શકે છે. હું અપીલ કરવા માંગુ છું કે, બધાં પોતાનું ધ્યાન રાખે
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડા અત્યારે તેના પતિ નિક સાથે અમેરિકામાં છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. આ સાથે જ પ્રિયંકાએ બીએમસીની સાઈટ પર અપલોડ કરાયેલી ગાઈડલાઈન્સ પણ શેર કરી છે. જે આ તોફાનથી બચવામાં લોકોની મદદ કરી શકે છે. આ ગાઈડલાઈનને ફોલો કરવાની પણ અપીલ કરી છે.