સતત વિવાદમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાનની બુંદી પોલીસે ધરપકડ કરી છે. પાયલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ વિશે પાયલના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને બુંદી પોલીસે તેની પુષ્ટિ પણ કરી છે.
અભિનેત્રી પાયલ રોહતગીની પોલીસે કરી ધરપકડ
રાજસ્થાન પોલીસે કરી ધરપકડ
ફેસબુક પર ગાંધી પરિવારને લઇ કરી હતી વિવાદીત પોસ્ટ
બુંદીના SP મમતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "પાયલ રોહતગીની ધરપકડ કરીને બુંદી લાવવામાં આવી રહી છે. પાયલ રોહતગીએ પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર ટિપ્પણી કરી હતી. જે પછી તેમની સામે આઈટી એક્ટની કલમ, 66, under 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. " મળતી માહિતી મુજબ આ કેસ બુંદીના સદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
પાયલ રોહતગીએ કરેલા ટ્વીટ વિશે વાત કરતાં તેમણે લખ્યું કે, "મોતીલાલ નહેરુ પર બનાવેલા વીડિયો માટે મારી રાજસ્થાન પોલીસે પકડ્યો છે. વીડિયોમાં આપેલી માહિતી ગુગલ પરથી દૂર કરવામાં આવી હતી. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા મજાક છે? તે છે? " પાયલે આ વીડિયોમાં પીએમઓ ભારત અને ગૃહ મંત્રાલયને પણ ટેગ કર્યા છે.
અભદ્ર ટિપ્પણી બદલ નોંધાઇ ફરિયાદ
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર 21 સપ્ટેમ્બર 2019 ના રોજ પાયલ રોહતગી દ્વારા વીડિયો અને પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સ્વતંત્રતા સેનાની મોતીલાલ નહેરુ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તથા ઇન્દિરા ગાંધીને લઇને વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. જેને લઇને સમાજસેવી અને યુથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ ફરિયાદ નોંધાવી હતી.