ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે નિધન થયું છે. લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બીમારીથી પરેશાન હતી. થોડાં સમય પહેલાં જ તેની માતાએ તેને કિડની આપી હતી પરંતુ તે બચી શકી નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. તેના નિધન પર ટીવીની અનેક મોટી હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ લીના આચાર્યનું નિધન
કિડની ફેલ થવાને કારણે થયું નિધન
તેની માતાએ તેને કિડની આપી હતી
સીરિયલ સેઠ જીમાં લીના આચાર્યના કો-સ્ટાર રહેલાં વરશિપ ખન્નાએ કહ્યું કે, લીના છેલ્લાં દોઢ વર્ષથી કિડનીની સમસ્યાથી પરેશાન હતી. થોડાં સમય પહેલાં તેની માતાએ તેને કિડની આપી હતી. પરંતુ તે સરવાઈવ કરી શકી નહીં. ક્લાસ ઓફ 2020માં તેના કો-સ્ટાર રહી ચૂકેલા રોહન મેહરાએ પણ તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
રોહને લીના સાથેની તસવીર શેર કરીને લખ્યું- ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે લીના મેમ. ગયા વર્ષે આ જ સમયે આપણે ક્લાસ ઓફ 2020નું શૂટિંગ કરી રહ્યાં હતા. હમેશાં યાદ કરીશ. એક્ટર એભિષેક ભાલેરાવે પણ લીનાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
My last conversation with Leena Acharya.....May your soul Rest in Power @leenaacharya2 An amazing actress a hustler, one who would apply and go regularly to every audition I would share with her. A beautiful soul. #RIPLeenaAcharya#Actresspic.twitter.com/WIRTxkGKEm
એભિષેક ભાલેરાવે લખ્યું- લીના સાથે મારી છેલ્લી વાતચીત... તમારી આત્માને શાંતિ મળે. એક અદભૂત અભિનેત્રી, એક હસલર, જે દરેક ઓડિશનમાં એપ્લાય કરે છે અને મને પણ જણાવે છે. એક સુંદર આત્મા. તમને જણાણી દઈએ કે લીનાએ સેઠ જી, આપ કે આ જાને સે, મેરી હાનિકારક બીવી અને ક્લાસ ઓફ 2020 સહિત ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું હતું. તેણે રાની મુખર્જી સ્ટારર હિચકીમાં પણ કામ કર્યું હતું.