શાહરૂખ ખાન અને કાજોલ બોલિવૂડની એવરગ્રીન ફેવરિટ જોડી છે. આ બંનેની રીલ લાઈફ કેમિસ્ટ્રીની સાથે રિયલ લાઈફ કેમિસ્ટ્રી પણ જબરદસ્ત છે. શાહરૂખ અને કાજોલ ખૂબ જ સારાં મિત્રો છે. એકવાર કરણ જોહરના ટોક શો પર કાજોલને પૂછવામાં આવ્યું હતું કે, તેની દીકરી નીસા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન સાથે ભાગી જાય તો તમારું શું રિએક્શન હશે, જેના પર કાજોલે મજેદાર જવાબ આપ્યો હતો.
શાહરૂખ અને કાજોલ બોલિવૂડની હિટ જોડી છે
શાહરૂખ અને કાજોલ બહુ જ સારાં મિત્રો છે
કાજોલ અને શાહરૂખના જવાબ પર ખૂબ હસી હતી રાની મુખર્જી
કાજોલને જ્યારે આવો સવાલ પૂછવામાં આવ્યો તો કાજોલે કહ્યું- દિલવાલે દુલ્હે લે જાએંગે. શાહરૂખે પણ આ સવાલનો મજેદાર જવાબ આપ્યો હતો. તેણે પહેલાં કહ્યું કે, તેને આ જોક સમજાયો નહીં પરંતુ પછી તેણે કહ્યું કે જો કાજોલ તેની સંબંધી બની જશે તો તે ખૂબ જ ડરી જશે. આ વાત સાંભળીને ત્યાં હાજર રાની મુખર્જી પણ ખૂબ હસી હતી.
શાહરૂખ કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેને આજે એટલે કે 20 ઓક્ટોબરે 25 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ફિલ્મ 20 ઓક્ટોબર 1995માં રિલીઝ થઈ હતી. એક ન્યૂઝ પોર્ટલને હાલમાં જ કાજોલે જણાવ્યું હતું કે, સિમરન કૂલ હતી પરંતુ સાથે થોડી ઓલ્ડ ફેશન પણ હતી.