જેણે પણ 'પંચાયત 2' નો છેલ્લો એપિસોડ જોયો છે તે કંપી ઉઠ્યા હશે. અહિ વાત થઇ રહી છે પ્રહલાદ પાંડેની. જે સીઝન 1 અને સીઝન 2 નાં સાતમાં એપિસોડ સુધી મસ્તમૌલા અને રૌબદાર ઉપ-પ્રધાનથી માંડીને એક સાચા મિત્ર તરીકે દેખાતું આ પાત્ર , જ્યારે આઠમા એપિસોડમાં પિતા તરીકેનો એવો લાગણીસભર દેખાવ જોવા મળ્યો કે લોકોની આંખો ભીની થઇ ગઈ. પ્રહલાદ પાંડેના પાત્રને નિભાવવા બદલ અભિનેતા ફૈઝલ મલિકની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ પાત્રે તેને ખુબ જ ફેમસ કરી દીધો છે. પરંતુ ફૈઝલ મલિક પોતે પણ આ એપિસોડને લઈને ડરી રહ્યાં હતા.
વિચાર્યું નહતું કે 'પંચાયત 2' આવી રીતે ઈમોશનલ વળાંક હશે
'પંચાયત 2'ના પ્રહલાદ પાંડે એટલે કે ફૈઝલ મલિકે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં શૂટિંગ સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ફૈઝલ મલિકે 'પંચાયત 2'ના છેલ્લા એપિસોડ વિશે જણાવ્યું હતું કે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે છેલ્લા એપિસોડમાં વાર્તાને આ રીતે ઇમોશનલી ટ્વિસ્ટ કરવામાં આવશે. ફૈઝલે જ્યારે છેલ્લા એપિસોડની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે એ પણ ડરી ગયો હતો અને એણે તરત જ લેખકો સાથે વાત કરી હતી.
રાઈટર સાથે કરી હતી વાત
ફૈઝલ મલિકે કહ્યું હતું કે તેમણે લેખકોને કહ્યું હતું કે તેઓ તેમનામાં થોડો વધારે પડતો વિશ્વાસ દાખવી રહ્યા છે અને આ એપિસોડ એક અલગ ઝોનમાં જઈ રહ્યો છે. ફૈઝલે લેખકો સામે પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે બિલિફ બદલવાની લડાઈ દેખાડશે અને જો આ મેસેજ અને એપિસોડ યોગ્ય રીતે પ્રેક્ષકો સુધી નહીં પહોંચે તો ઘણાં પ્રશ્નો ઊભા થવા માંડશે. જ્યારે ફૈઝલ મલિકે લેખકોની સામે કહ્યું હતું કે, તેઓ આ એપિસોડ દ્વારા આ મુદ્દાને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના વિશે દેશ ખૂબ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં, તે મુદ્દાને તેના દ્વારા ભજવવો યોગ્ય રહેશે નહીં કારણ કે તે એક સારો અભિનેતા પણ નથી. પરંતુ લેખકોએ ફૈઝલને એમ કહીને ખાતરી આપી કે તારાથી જરૂર થશે અને તે સરળતાથી કરી બતાવશે.
ક્યાંક કમાયેલું નામ ડૂબી ન જાય
ફૈજલ મલિકના મનમાં એ ડર ખરાબ રીતે ઘર કરી ગયો હતો કે પ્રહલાદ પાંડેના રૂપમાં શહીદ પુત્રના અંતિમ સંસ્કારનું દ્રશ્ય પોતે નહિ કરી શકે અને તૂટેલા પિતાનું દર્દ પડદા પર નહી બતાવી શકે, તો તેણે જે સન્માન મળ્યું છે, નામ કમાયું છે, એ ક્યાંય માટીમાં ન મળી જાય. ફૈઝલ મલિકે કહ્યું કે 'પંચાયત 2' ના લાસ્ટ સીન શૂટિંગમાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
અઠવાડિયામાં શૂટ થયું 'પંચાયત 2'નું ક્લાઇમેક્સ
ફૈઝલ મલિકના જણાવ્યા અનુસાર, કોઈ પણ માણસ દરેક સમયે રડી શકતો નથી કાં તો તે પહેલેથી જ રોઈને આવ્યો છે અથવા તે સંપૂર્ણપણે સુન્ન થઈ ગયો છે. ક્લાઇમેક્સ શૂટ દરમિયાન દરેક ડિટેલનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ માટે ફૈઝલ મલિકને પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવ્યો હતો. વાળ છુપાવવામાં આવ્યા હતા અને દાઢી-મૂછ પણ કાપવી પડી હતી.
ફૈઝલ મલિક નિર્માતા પણ છે, મજબૂરીમાં બન્યા આ રીતે એક્ટર
ફૈઝલ મલિક માત્ર એક્ટર જ નહીં, પ્રોડ્યુસર પણ છે. તેમણે કંગના રનૌતથી લઈને રણદીપ હુડ્ડા સુધીની ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. ફૈઝલ મલિકનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. ફૈઝલ મલિકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી કરી હતી. અનુરાગ કશ્યપને આ ફિલ્મમાં રોલ મળવાની કહાની પણ રસપ્રદ છે. વાસ્તવમાં જ્યારે સેટ પરથી એક એક્ટર અચાનક ભાગી ગયો અને પાછો ન આવ્યો તો ફૈઝલ મલિકને તે રોલ મળી ગયો. મેકર્સે તેને એમ કહીને મનાવી લીધો હતો કે આ માત્ર ચાર-પાંચ કલાકની વાત છે. ફૈઝલ મલિકે માની લીધી અને અહીંથી તેની એક્ટિંગ કરિયર પણ શરૂ થઈ ગઈ.