ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો ખરાબ હવાઈ યાત્રાનો અનુભવ શેર કર્યો છે.
ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન ફસાયો
વીર દાસે સોશિયલ મીડિયા પર શેર કર્યો અનુભવ
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 5 કલાક ફસાયો
ફેમસ કોમેડિયન અને બોલિવૂડ એક્ટર વીર દાસ આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં, વીર દાસનું નામ હવાઈ મુસાફરી માટે હેડલાઇન્સમાં છે. હકીકતમાં વીર દાસ 5 કલાક સુધી એર ઈન્ડિયાના પ્લેનમાં ફસાયેલા હતા જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે જણાવ્યું કે આ દરમિયાન તેને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
વીર દાસે હવાઈ મુસાફરીનો ખરાબ અનુભવ શેર કર્યો
પોતાની વિવાદાસ્પદ કોમેડી માટે અવારનવાર હેડલાઇન્સ બનાવતા વીર દાસ તાજેતરમાં લદ્દાખના પ્રવાસે ગયા હતા. જેના માટે તેણે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જવાનું યોગ્ય માન્યું. પરંતુ ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાનું આ પ્લેન 5 કલાક સુધી ઉડાન ભરી શક્યું નહી.
જે અંતર્ગત વીર દાસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે “હું છેલ્લા 5 કલાકથી એર ઈન્ડિયાના આ પ્લેનમાં અટવાયેલો છું. ગરમી, ભૂખ અને તરસને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ છે. મારી સાથેના અન્ય મુસાફરો ફ્લાઇટ સ્ટાફથી નારાજ છે અને તેમને વહેલા જવા માટે કહી રહ્યા છે. પરંતુ તેઓ તેનો ઇનકાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ જહાજમાં આ 5 કલાકથી અફરા તફરીનો માહોલ છે.
Been sitting in Delhi on an air India flight for four hours now. Because of weather in Leh. Air India staff claimed other flights were cancelled. All Other flights have landed. @airindiain
Passengers have begun to revolt. Fun times.
આખરે વીરદાસને મળી રાહત
આ હવાઈ મુસાફરીનો અનુભવ વીર દાસ માટે ઘણો ખરાબ સાબિત થયો. જોકે, 5 કલાક બાદ એર ઈન્ડિયાના આ વિમાને ટેકઓફ કર્યું હતું. જે બાદ વીર દાસે બીજા ટ્વિટમાં લખ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર કે આ વિમાન ઉડ્યું, હું ખુશ છું અને ખૂબ રડ્યો પણ. મારા કપડાં પરસેવાથી લથપથ છે. હવે મને ક્યાંક શાંતિ મળી છે. આ રીતે વીર દાસે તેમના લદ્દાખ પ્રવાસનો અનુભવ શેર કર્યો છે.