મુંબઇઃ સુપર સ્ટાર... કલાકાર સ્વર્ગીય વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલી ખન્નાનું નિધન થઇ ગયું છે. તેમની ઉંમર 70 વર્ષ હતી. ગીતાંજલિના મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેમના બે દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના છે. રિપોર્ટ અનુસાર ગીતાંજલી અને તેમના બન્ને દીકરા સમયાંતરે માંડવાના ફાર્મહાઇસ આવતા રહે છે.
ગીતાંજલીની તબીયત લથડતા શનિવાર સવારે 11 કલાકે તેઓ આ ફાર્મહાઉસમાં પહોંચ્યા હતા. બપોરે જ ગીતાંજલીએ તબીયત ખરાબ થવાની જાણ કરી હતી. તેમને મુંજારો અનુભવાતો હતો અને ત્યારબાદ તેમને એક સ્થાનીક ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને કેટલીક દવાઓ પણ આપી હતી.
પરંતુ તબીયત ઠીક ન થયા બાદ તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. આ હોસ્પિટલ માંડવાથી 20 કિલોમીટર દૂર હતી. અલીબાગ સિવિલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર ગીતાંજલી જ્યારે હોસ્પિટલ પહોંચ્યાં ત્યાં સુધીમાં તેમનું મોત થઇ ચૂક્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિનોદ અને ગીતાંજલી બન્ને નાનપણના સારા મિત્રો હતા. તેઓ સ્કૂના દિવસોથી જ એક-બીજાને પસંદ કરતા હતા. વર્ષ 1971માં વિનોદ ખન્નાએ ગીતાંજલી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે 14 વર્ષના લગ્નજીવન બદા બન્નેના છુટાછેડા થઇ ગયા હતા.