બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને જે સવાલો ઊભા થયા હતા, તેના જવાબ હવે ફોરેન્સિક એક્સપર્ટની રિપોર્ટ બાદ સામે આવી ગયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે પોસ્ટમોર્ટમથી લગભગ 10થી 12 કલાક પહેલાં સુશાંતની મોત થઈ હતી. કૂપર હોસ્પિટલના ડોકટરો જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે.
સુશાંત કેસને લઈને થયો મોટો ખુલાસો
પોસ્ટમોર્ટમના આટલા કલાક પહેલાં થઈ હતી સુશાંતની મોત
ફોરેન્સિક એક્સપર્ટની રિપોર્ટ આવી સામે
હકીકતમાં સુશાંતના પોસ્ટમોર્ટમ અંગેનો સૌથી મોટો સવાલ એ હતો કે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સમયનો ઉલ્લેખ કેમ નથી કરાયો? તો મુંબઈ પોલીસ આ અંગે મુંબઈની કૂપર હોસ્પિટલના એ ડોકટરોને સવાલ પૂછ્યા જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ડોકટરોએ જવાબ આપ્યો કે સુશાંતની મોત તેના પોસ્ટમોર્ટમના 10 થી 12 કલાક પહેલાં થઈ હતી અને હોસ્પિટલનાં રેકોર્ડ અનુસાર તેનું પોસ્ટમોર્ટમ 14 જૂનનાં રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે કરવામાં આવ્યું હતું.
સુશાંતના પોસ્ટમોર્ટમ અંગે એક સવાલ એ પણ હતો કે પોસ્ટમોર્ટમમાં મૃત્યુનો સમય ન લખવા પાછળ કોઈ કાવતરું તો નહોતું અને એઈમ્સ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આવા તમામ સવાલો પર મુંબઈના ડોકટરોની પણ પૂછપરછ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ તથ્યોને પોતાની ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં જણાવ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યું છે.
27 જુલાઈએ મુંબઈ પોલીસને એ કુરતાની ફોરેન્સિક રિપોર્ટ પણ મળી ગઈ હતી, જેમાં કુરતાના ટેંસિલ સ્ટ્રેન્થની તપાસ કરવામાં આવી હતી. કહેવાનો મતલબ એ છે કે સુશાંત જે કુરતાથી લટકતો જોવા મળ્યો હતો તે કુરતો ખરેખર સુશાંતનો વજન ઊંચકી શકે એવો હતો કે નહીં. રિપોર્ટ અનુસાર કુરતો 200 કિલો સુધી વજન સરળતાથી ઊંચકી શકે એવો હતો. જ્યારે સુશાંતનું વજન તેનાથી અડધાથી પણ ઓછું હતું. આ સાથે કુરતાના ફાઈબરનું પણ પરીક્ષણ કરાયું હતું અને એ આ જ ફાઈબર સુશાંતના ગળાની આસપાસ પણ જોવા મળ્યું હતું. જેનાથી સાબિત થાય છે કે, સુશાંતે આ કુરતાથી આત્મહત્યા કરી હતી.
સુશાંતસિંહ રાજપૂતનું 14 જૂને તેમના બાંદ્રાના મકાનમાં રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. સુશાંત સિંહનો મૃતદેહ તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. સુશાંતના પિતા તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે દબાણ કરવાનો કેસ કર્યો છે. જોકે, પછી સુશાંતના પરિવારજનોએ તેને હત્યાનો કેસ કહેવાનું શરૂ કર્યું.