અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર CBIની તપાસ કરશે. આ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ માટે સીબીઆઈના એક એસઆઈટી ટીમની રચના કરાઈ છે. જેમાં 4 ખાસ અધિકારી સામેલ કરાયા છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ થઈ સક્રિય
CBIની સ્પેશ્યલ ટીમ આવતીકાલે મુંબઈ જશે
DIG સુવેઝ હકને નોડલ ઓફિસર બનાવાયા
જાણો તપાસની ટીમમાં કોણ કોણ હશે
સુશાંતસિંહના મોત મામલે CBIની SITની બેઠક દિલ્હીના CBI મુખ્યાલયમાં યોજાશે. આવતીકાલે તપાસ માટે CBIની ટીમ મુંબઈ જશે. આ ટીમમાં
CBIના DIG સુવેઝ હકને નોડલ ઓફિસર બનાવાયા છે. CBI અને મુંબઈ પોલીસ વચ્ચે સમન્વય માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ટીમમાં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ અધિકારી સામેલ કરાયા છે. બુધવારે આ સંબંધમાં નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની તપાસનો અધિકાર CBIને છે. દેશની સૌથી મોટી અદાલતે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય માન્યું છે. CBIએ આ કેસની તપાસની તૈયારી પહેલાંથી કરી રાખી હતી. સુપ્રીમનો આદેશ મળતાં જ સુશાંતના મોતની તપાસ માટે એક એસઆઈટીની જાહેરાત કરાઈ છે. તેના નેતૃત્વ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશિધર કરશે. આ સિવાય ગગનદીપ ગંભીર, એસપી નૂપુર પ્રસાદ અને એડિશનલ એસપી અનિલ યાદવ આ ટીમનો ભાગ બનશે. આ પણ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરશે.
એફઆઈઆરના આધારે કરવામાં આવશે તપાસ
CBIની તપાસ બિહાર પોલિસની એફઆઈઆર પર આધારિત હશે. તેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે, દગો કરવા માટે અને સાથે જ સાજીશ રચવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો. આ એફઆઈઆરમાં આઈપીસીની કલમ 341, 348, 380, 406, 420, 306 અને 120 બી સામેલ છે. CBIની એસઆઈટી જલ્દી મુંબઈ પોલિસને એક પત્ર લખીને આ કેસની ડાયરી, ક્રાઈમ સીનના ફોટોગ્રાફ, ઓટોપ્સી રિપોર્ટ, મુંબઈ પોલીસની ફોરેન્સિક રિપોર્ટ, પીએમ રિપોર્ટ નોંધાયા છે. નિવેદનોના આધારે કોપી જલ્દી જ મોકલવાનો આગ્રહ કરાશે.
સીબીઆઈ સુશાંતના ઘરની પણ લેશે મુલાકાત
આ પછી CBIની એસઆઈટી મુંબઈના બાંદ્રામાં સુશાંતના ઘરની મુલાકાત પણ લેશે. જ્યાં સુશાંતની લાશ પંખા સાથે લટકેલી મળી હતી. ખાસ વાત તો એ છે કે CBIની સાથે ઘટના સ્થળે તેમની ફોરેન્સિક ટીમ પણ હશે. જે એક વાર ફરીથી ઘટના સ્થળે સબૂત શોધવાની કોશિશ કરશે.
સુશાંતના પરિવારે તેમની મોતને કતલ ગણાવ્યું છે. આ કારણે SIT તે શંકાના આધારે ફ્લેટના એક રૂમમાં ક્રાઈમ સીન પણ રિક્રિએટ કરશે. આ સાથે જ ડમી ટેસ્ટ પણ કરાવાશે. એ દિવસે ઘટના સમયે હાજર રહેનારા દરેક લોકોના નિવેદન નવેસરથી લેવામાં આવશે. આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પણ CBIની ટીમ પૂછપરછ કરશે.