સોનુ સૂદે નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, "મુશ્કેલ રાહમાં પણ સફળ સરળ લાગે છે. દરેક હિન્દુસ્તાનીઓની દુઆઓની અસર લાગે છે."
IT રેડ બાદ સોનુનુ રિએક્શન
કર્યું આવું ટ્વીટ
અરવિંદ કેજરીવાલે કર્યો સપોર્ટ
બોલિવુડ એક્ટર સોનુ સૂદના ઘર અને બીજી જગ્યાઓ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સર્વે બાદ હવે એક્ટરે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કરી દીધુ છે. સોનુ સૂદે નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, "મુશ્કેલ રાહમાં પણ સફળ સરળ લાગે છે. દરેક હિન્દુસ્તાનીઓની દુઆઓની અસર લાગે છે."
જણાવી દઈએ કે સોનુ સૂદના મુંબઈ સ્થિત ઘર સહિત નાગપુર, જયપુરમાં પણ આવકવેરા વિભારે સર્ચ ઓપરેશન કર્યું હતું. બુધવારે સોનુ સૂદની 6 જગ્યાઓ પર પણ તલાશી લેવામાં આવી હતી.
સોનુ સૂદે જાહેર કર્યું નિવેદન
નિવેદનમાં તેણે લખ્યું- "તમને હંમેશા પોતાની સાઈટની સ્ટોરી જણાવવાની જરૂર નથી હોતી, સમય જણાવી દેશે. મેં મારા દિલ અને તાકાતથી ભારતના લોકોની સેવા કરવા માટે પ્રતિજ્ઞા લીધી છે. મારા ફાઉન્ડેશનનો એક-એક રૂપિયો કોઈનો કિંમતી જીવ બચાવવા માટે અને કોઈ જરૂરીયાતમંદની પાસે પહોંચવાની રાહમાં છે. "
'આ ઉપરાંત ઘણી તક પર મે બ્રાન્ડ્સના લોકોની ભલાઈ માટે મારી એન્ડોર્સમેન્ટ ફી પણ ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પાછલા 4 દિવસમાં અમુક ગેસ્ટ્સને અટેન્ડ કરવામાં બિઝી હતો. માટે તમારી સર્વિસમાં ન હતો. હવે હું પરત આવી ગયો છું. કર ભલા, હો ભલા, અંત ભલે કા ભલા. મારી જર્ની ચાલું છે.... જય હિંન્દ, સોનુ સૂદ.'
અરવિંદ કેજરીવાલે કર્યો સોનુનો સપોર્ટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદના વખાણ કરતા પોસ્ટ લખી છે. જેમાં તેણે સોનુને હિરો ગણાવ્યા છે. અરવિંદ કેજરીવાલે લખ્યું- 'સોનુ જી તમે લાખો ભારતીયો માટે હીરો છો.'