બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે છેલ્લા કેટલાક સમયથી જે રીતે લોકોની મદદ અને દેશના હિત માટે યોગદાન આપવાનું શરૂ કર્યું છે, તેના આ નેક કામથી તેણે દરેક દેશવાસીના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સોનુ સૂદ ટ્વિટર દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે અને તેમને મદદ કરે છે. ત્યારે હાલમાં જ અભિનેતાએ તેની માતાની 13મી પુણ્યતિથિ પર તેમનાથી પ્રભાવિત થઈને દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નેક કામ કર્યું છે. સોનુએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ વિશે જણાવ્યું છે.
સોનુએ ફરી મદદ માટે કર્યું આ નેક કામ
માતાની 13મી પુણ્યતિથિ પર લીધી પ્રતિજ્ઞા
સોનુએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ વિશે જણાવ્યું
સોનુ સૂદે કહ્યું કે- 13 ઓક્ટોબરે મારી માતાના અવસાનને 13 વર્ષ પૂરા થયા છે. અવસાન પછી તેઓ શિક્ષણનો વારસો છોડીને ગયા. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે હું આ પ્રતિજ્ઞા લઉ છું કે હું પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ અંતર્ગત IAS બનવા માટે લોકોને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરીશ.
October 13; 13 years since My Mother passed. She left behind a legacy of Education. On her anniversary today, I pledge to support IAS aspirants reach their goals thru Prof Saroj Sood Scholarships. Seeking blessings 🙏 Miss you maa. @Scholifymepic.twitter.com/vxcIYte7NZ
હકીકતમાં અગાઉ પણ સોનુ સૂદે એક યુનિવર્સિટી સાથે જોડાઈને ગરીબ બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરવાની જવાબદારી લીધી હતી. હવે તેણે માતાની 13મી પુણ્યતિથિએ નવી પ્રતિજ્ઞા લીધી છે. સોનુને તેની પ્રેરણા તેની માતા પાસેથી મળી છે જે બાળકોને કોઈપણ ફી વગર ભણાવતા હતા.
સોનુ સૂદ બની ગયો રિયલ હીરો
સોનુ સૂદ તેની આસપાસની બાબતો ધ્યાનથી જુએ છે. જ્યારં તેને ટેલેન્ટ દેખાય છે અને લાગે છે કે બસ એક દિશા આપવાની જરૂર છે ત્યાં સોનુ તરત જ મદદ માટે આગળ આવી જાય છે. તેની આ જ ખાસ વાત તેને લોકોથી ખૂબ પ્રેમ અને આદર અપાવી રહી છે અને તેને એક રિયલ હીરોનું બિરુદ આપ્યું છે.