રામાનંદ સાગરની રામાયણનું થોડાં સમય પહેલાં લોકડાઉનને કારણે રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રામાયણમમાં સુગ્રીવનો રોલ નિભાવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું નિધન થઈ ગયું છે. એવું કહેવાય છે કે, તેઓ લાંબા સમયથી બીમારી હતા. તમને જણાવી દઈએ કે, શ્યામ સુંદર કલાનીએ રામાયણથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
રામાયણના આ પાત્રનું નિધન
થોડાં સમય પહેલાં જ રામાયણનું રિ-ટેલિકાસ્ટ શરૂ થયું હતું
રામાયણ ફરી પ્રસારિત થવાને કારણે તેના કલાકારો ચર્ચામાં આવ્યા
Sad to know about demise of Mr. Shyam Sundar who played the role of Sugreev in Ramanand Sagar’s “Ramayan”... A very fine person and a gentleman. May his soul rest in peace.
શ્યામ સુંદર કલાનીએ રામાયણ બાદ એક્ટિંગની દુનિયામાં વધુ કામ કર્યું નહીં. શ્યામ સુંદરના નિધનથી દુઃખી રામનો રોલ નિભાવનાર અરૂણ ગોવિલે અને લક્ષણનો રોલ નિભાવનાર સુનીલ લહરીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે અને લખ્યું છે, શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે, તેઓ બહુ જ સારાં વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
Very sad and sorry to hear sudden demise of our colleague Mr Shyam Kalani who played role of sugriv and Bali with us in Ramayan God give peace to his soul and strength to his family to face irrecoverable loss.... RIP🙏🏼 pic.twitter.com/JaWd5oNGpv
જ્યારે લક્ષ્મણનો રોલ પ્લે કરનારા સુનીલ લહરીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું- સુગ્રીવ તથા બાલીનો રોલ પ્લે કરનાર શ્યામ કલાનીના નિધન પર દુઃખ થયું. પરિવારને ભગવાન આ સંકટ સમયને સહન કરવાની શક્તિ આપે અને તેમના આત્માને શાંતિ આપે.
આ વખતે રામાયણ ફરીથી ડીડી નેશનલ પર ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, જેના કારણે તમામ પાત્રો અને કલાકારો ફરી એકવાર ચર્ચામાં છે. ભગવાન રામના વનવાસ દરમિયાન રામાયણમાં સુગ્રીવની ભૂમિકા જોવા મળે છે. વાનર રાજ સુગ્રીવએ સીતાની શોધ અને ત્યારબાદ રાવણ સાથેના યુદ્ધમાં રામને મદદ કરી હતી. હનુમાને સુગ્રીવ અને રામની મુલાકાત કરાવી હતી. રામે સુગ્રીવને તેના મિત્રનો દરજ્જો આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે રામાનંદ સાગરની સુપ્રસિદ્ધ સીરિયલ 'રામાયણ' ત્રણ દાયકાથી વધુ જૂની છે અને તેણે હિન્દી જીઈસી શો માટે સૌથી વધુ રેટિંગ મેળવીને 2015 પછી નાના પડદે ઐતિહાસિક પુનરાગમન કર્યું હતું. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીઆરસી)ની એક રિપોર્ટ મુજબ, 'રામાયણ'ના ગયા વીકેન્ડના ચાર શોમાં 170 મિલિયન દર્શકો જોડાયા હતા.