આર્યન ખાન કેસમાં દિવસે ને દિવસે મોટા વળાંકો આવતા જાય છે. હાલમાં જ શાહરૂખ ખાન દિકરાને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો છે.
આર્યનને જેલમાં મળવા પહોંચ્યો શાહરૂખ
આર્યનની જામીનની અરજી થઇ હતી રદ્દ
મુંબઇ હાઇકોર્ટમાં જામીન માટે કરી અરજી
#WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbaipic.twitter.com/j1ozyiVYBM
જામીન અરજી થઇ રદ્દ
આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી હતી. બાદમાં આર્યનના વકીલોએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી છે. 2 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, આજે 21 ઓક્ટેબર થઇ તેમ છતાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ત્યારે આજે શાહરૂખ તેને મળવા આર્થર રોડ જેલ પહોંચી ગયો છે.
BJP નેતા આવ્યા સપોર્ટમાં
ભાજપના ધારાસભ્ય રામ કદમે ટ્વિટ કરીને લખ્યું કે, પ્રાર્થના છે કે આજે આર્યનને જામીન મળી જાય. સંવિધાન અને કાયદા હેઠળ જામીન મળવી તે એક મૂળભુત અધિકાર છે. આ કોઇ એક વ્યક્તિ વિશેષ વિરુદ્ધની લડાઇ નછી. માનતજાતિની ડ્રગ્સ વિરુદ્ધની લડાઇ છે. સાથે તેમણે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું છે.
માતા પિતા આર્યનના લીધે ચિંતામાં
ગૌરી ખાને તેના સ્ટાફને તેમના ભવ્ય બંગલામાં સૂચના આપી છે, જ્યાં સુધી આર્યન ઘરે પાછો નહીં આવે ત્યાં સુધી કોઈ મીઠાઈ બનાવવામાં આવશે નહીં. બન્યું એવું કે સ્ટાફનો એક સભ્ય રસોડામાં ખીર રાંધતો હતો ત્યારે ગૌરીએ તે જોયું અને તરત જ તેને અટકાવી દીધો. ત્યારબાદ તેણે તેમના સ્ટાફના તમામ સભ્યોને સૂચના આપી હતી કે જ્યાં સુધી આર્યન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ મીઠી વાનગી ન બનાવો.
બીજી તરફ કિંગ ખાને તેમના મિત્રો અને સાથીદારોને પણ વિનંતી કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના ઘરે આવવાનું ટાળે કારણ કે તેઓ ફોન કોલ્સ દ્વારા તેમના સંપર્કમાં છે. આર્યનની ધરપકડથી શાહરૂખ 'લાચાર અને તૂટેલો અનુભવ' થઈ ગયો છે અને તે વધુ ખાતો નથી અને ફક્ત લાચાર પિતાની જેમ તૂટી ગયો છે.'
જાવેદ અખ્તનું સમર્થન
એક પુસ્તક વિમોચન પ્રસંગે બોલતા જાવેદ અખ્તરે જણાવ્યું કે હું કહેવા માગું છું કે એક પોર્ટ (અદાણીના પોર્ટ)ની ઉપર એક બિલિયન ડોલરનું ડ્રગ્સ મળે છે અને એક જગ્યાએ ક્રૂઝ પર 1200 લોકો મળે અને ત્યાં 1.30 લાખનું ચરસ જપ્ત કરાય છે તો ઘણી મોટી નેશનલ ન્યૂઝ બની જાય છે. બિલિયન ડોલર કોકિન અંગે મેં તો હેડલાઈન પણ ન જોઈ. પાંચમા કે છઠ્ઠા પાના પર ન્યૂઝ પર આવી જાય છે. પછી કહેવામાં આવે છે કે અમે આ પોર્ટ પર જહાજ નહીં આવવા દઈએ, અરે પહેલા જે મળ્યું છે તેની તો વાતો કરો.