ઈન્ડસ્ટ્રીના કોઈ પણ સભ્ય પર જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે, તો સૌથી પહેલા સલમાન ખાન મદદ માટે આગળ આવે છે. તાજેતરમાં અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમણે સર્જરી કરાવવી પડી. તે વખતે સલમાન ખાને જાતે ડૉક્ટર્સને મેસેજ કરીને સુનીલ ગ્રોવરનું ખાસ ધ્યાન રાખવા માટે કહ્યું હતુ.
સલમાન ખાને ડોકટરોને કહી હતી આ વાત
સુનીલ ગ્રોવરનું ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું
સુનીલ ગ્રોવર હવે સાજા થઇને હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
સુનીલ ગ્રોવર સલમાન ખાનના નજીકના મિત્ર
જાણકારી મુજબ સુનીલ ગ્રોવર, સલમાન ખાનના નજીકના મિત્ર છે. બંનેએ ભારત ફિલ્મમાં એકસાથે કામ પણ કર્યુ હતુ. મીડિયા રિપોર્ટસ મુજબ, સલમાન ખાને તબીબોને અંગત રીતે કહ્યું હતુ કે તેઓ સુનીલની સારી રીતે સંભાળ રાખે. હોસ્પિટલમાં રહેતા હતા ત્યારે તેમણે સુનીલના સ્વાસ્થ્ય પર કડક નજર રાખી હતી. અભિનેતાએ બીઈંગ હ્યુમનની સાથે કામ કરનારા તબીબોની પોતાની ટીમને સુનીલ ગ્રોવરના આરોગ્ય પર નજર રાખવા માટે કહ્યું હતુ. જો કે, સુનીલ ગ્રોવર હવે સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે.
કપિલ શર્મા પણ સુનીલ ગ્રોવરને લઇને હતા ચિંતિત
જાણીતા કોમેડિયન કપિલ શર્મા પણ સુનીલ ગ્રોવરને લઇને ચિંતિત હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ, સુનીલની સર્જરીની વાત સાંભળીને હું સંપૂર્ણ રીતે આઘાતમાં હતો. હું તેમના આરોગ્યને લઇને ચિંતિત છુ. મેં તેમને મેસેજ પણ કર્યો હતો. જો કે, ગઈકાલે તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે તો રિપ્લાય આવ્યો નથી. તેઓ આરામ કરી રહ્યાં છે. હું આશા પણ કરતો નથી કે તેઓ જવાબ આપે. કારણકે અત્યારે તેમને ફક્ત આરામની જરૂર છે. યુવાન વયમાં તેમની બાયપાસ સર્જરી થઇ છે, તેઓ ટૂંક સમયમાં સાજા થઇ જશે.