ફડીંગ કરીને પ્રોપેગેંડા વાળી ફિલ્મો અંગે બોલીવૂડના અભિનેતાએ પોતાનો બળાપો કઢતાં જણાવ્યું હતું કે, આવુ નાઝી જર્મનીમાં પણ થતું હતું
ભારતીય ફિલ્મ ઉદ્યોગ ઈસ્લામોફોબિયાથી પીડિત છે
ફિલ્મ ઉદ્યોગની બહાર ભેદભાવનો અસ્તિત્વ ધરાવે છે
મને પાકિસ્તાન પણ ટિકિટ મોકલવામાં આવી હતી
અભિનેતા નસીરૂદ્દીન શાહે ભારતીય ફિલ્મ ઉદ્યોગ
અભિનેતા નસીરૂદ્દીન શાહે ભારતીય ફિલ્મ ઉદ્યોગ વિશે જણાવતા કહ્યું છે કે તેઓ ઇસ્લામોફોબિયાથી પીડિત છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે સરકાર દ્વારા આવા સિનેમાના નિર્માણ માટે ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનનોએ કબ્જો જમાવ્યા પછી ભારતમાં કેટલાક મુસ્લિમો દ્વારા ઉજવણી કરવાના તેમના નિવેદન વિશે પણ કહ્યું કે તેમને ગેરસમજ થઈ રહી છે.'મને ખબર નથી કે ફિલ્મ ઉદ્યોગમાં મુસ્લિમ સમુદાય સાથે કોઈ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કે નહીં. હું માનું છું કે આપણું યોગદાન મહત્વનું છે. આ ઉદ્યોગમાં પૈસા ભગવાન છે.
ફિલ્મ ઉદ્યોગની બહાર ભેદભાવનો અસ્તિત્વ ધરાવે છે
નસીરૂદ્દીન શાહે વધુમાં જણાવ્યું હતું કે તમે અહીં જેટલા પૈસા કમાશો તેટલું વધારે માન તમને મળશે. આજે પણ ઉદ્યોગના ત્રણ ખાન ટોચ પર છે. તેમને પડકારી શકાતા નથી અને આજે પણ પરિણામ આપી રહ્યા છે. મને ક્યારેય ભેદભાવ જેવું કશું લાગ્યું નથી. મારી કારકિર્દીની શરૂઆતમાં મને નામ સૂચવવામાં આવ્યું હતું, પરંતુ મેં મારું નામ રાખ્યું. મને નથી લાગતું કે તેનાથી કોઈ ફરક પડ્યો હોત. જોકે, તેમણે સ્વીકાર્યું કે ઉદ્યોગની બહાર ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે.
મને પાકિસ્તાન પણ ટિકિટ મોકલવામાં આવી હતી
અભિનેતાએ કહ્યું કે જ્યારે મુસ્લિમ નેતાઓ, યુનિયન સભ્યો અને વિદ્યાર્થીઓ સામાન્ય નિવેદન પણ આપે છે ત્યારે પણ તેઓનો વિરોધ કરવામાં આવે છે. તે જ સમયે જ્યારે મુસ્લિમ સમુદાય સામે હિંસક નિવેદનો આપવામાં આવે છે, તે સમયે આવો કોઈ અવાજો ઉઠાવવામાં આવતાં નથી.એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે મને બોમ્બેથી કોલંબો અને કોલંબોથી કરાચીની ટિકિટ પણ મોકલવામાં આવી હતી. નસીરુદ્દીન શાહે કહ્યું, ફિલ્મ ઉદ્યોગને હવે સરકાર દ્વારા તેમના વિચારને ટેકો આપતી ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા ફિલ્મો બનાવવામાં આવે છે. જો તેઓ પ્રચાર ફિલ્મો બનાવે તો તેમને ફડીંગ પૂરું પાડવામાં આવે છે અને ક્લીન ચિટનું વચન આપવામાં આવે છે.