મનોજ જોશીના આ ટ્વિટ બાદ લોકો ભડકી ઉઠ્યાં હતા અને તેની પર ઉગ્ર વાંધો ઉઠાવવા લાગ્યા હતા. લોકોએ કોરોના મહામારીની વચ્ચે હિંદુ-મુસ્લિમને વિભાજીત કરનારા આ ટ્વિટની ખૂબ ટીકા કરી..
એક યૂઝરે લખ્યું કે હું તમારી કોમેન્ટથી ચકિત થઈ છું. તમારી બહુ મોટી ચાહક છું અને હકીકતમાં તમને એક સમજદાર વ્યક્તિ તરીકે જોતી હતી. આવા સંકટના સમયે તમે અત્યાચારીઓનો બચાવ કરી રહ્યાં છો. શું તમારો અંતરાત્મા મરી ગયો છે.
जोशी साहेब आदाब, सुना है आप ढूँढ रहे हैं हम जैसों को? हुकुम करिए क्या काम था? सेवा में हाज़िर हैं।
બીજા એક યૂઝરે લખ્યું કે આવા સમયે પણ તમે હિંદુ-મુસ્લિમ કરવાનું છોડી શકતા નથી. કોઈ મનુષ્ય આટલો ઘાતકી કેવી રીતે બની શકે. આવા સમયે આવી હલકી વાત, છી.. તમને શરમ આવવી જોઈએ.