બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
મનોજ બાજપેયીના પિતા લાંબા સમયથી બીમાર હતાં
પિતાની તબિયત ગંભીર હોવાથી શૂટિંગ છોડી દિલ્હી ગયાં હતાં
રાધાકાંત બાજપેયી ખૂબ જ સરળ જીવન જીવવાતા હતાં
મનોજ બાજપેયીના પિતા લાંબા સમયથી બીમાર હતાં
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતા આર.કે.બાજપાઈનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. એત સપ્તાહ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મનોજ વાજપેયાના પિતાની ઉંમર 83 વર્ષ હતી. તેમના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવશે
પિતાની તબિયત ગંભીર હોવાથી શૂટિંગ છોડી દિલ્હી ગયાં હતાં
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી મનોજ બાજપેયીના પિતાની તબિયત ખૂબ જ ગંભીર હતી, જેના કારણે અભિનેતા કેરળમાં શૂટિંગ છોડી દિલ્હી ગયા હતાં. જ્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી હતી. મનોજ બાજપેયી કેરળમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમના પિતાની તબિયત પાછી બગડી ગઈ હતી. જે વાત જાણ થતાં તેઓ કેરળથી દિલ્હી ખાતે જવા રવાના થયા હતાં
રાધાકાંત બાજપેયી ખૂબ જ સરળ જીવન જીવવાતા હતાં
મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત બાજપેયી છે. અને તેઓ ખેડૂત છે. રહેવાય છે કે, દીકરાની તમામ મોટી સફળતા અને સ્ટારડમથી તેના પિતાને કોઈ ફરક પડ્યો નથી. તેમણે તેમના અંતિમ દિવસોમાં ખૂબ જ સરળ જીવન જીવવાનું ચાલુ રાખ્યું હતું. મનોજ બાજપેયીના પિતા બિહારમાં તેમના પૈતૃક ઘરમાં રહેતાં હતાં.તમને જણાવી દઈએ કે, મનોજ બાજપેયી છેલ્લે ધ ફેમિલી મેન 2માં જોવા મળ્યાં હતાં.જે જાસૂસ રોમાંચક વેબ સિરિઝ ધ ફેમિલી મેન ની બીજી સીઝન હતી. આ સિઝનમાં પણ પહેલાની જેમ જ પ્રશંસા કરવામાં આવી હતી. તે પ્રખ્યાત નિર્દેશક જોડી રાજ અને ડીકે દ્વારા નિર્દેશિકત કરવામાં આવી હતી