રાહુલની ભારત જોડો યાત્રામાં સાઉથના સુપરસ્ટાર એક્ટર કમલ હાસન જોડાયા હતા.
રાહુલની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી
હજારોની સંખ્યામાં લોકો જોડાયા
એક્ટર કમલ હાસને પણ રાહુલ સાથે કદમ મિલાવ્યાં
લાલ કિલ્લા પરના ભાષણમાં યાત્રામાં જોડાવાનું આપ્યું કારણ
રાહુલ ગાંધી તેમની ભારત યાત્રાને રાજધાની દિલ્હીમાં લઈ આવ્યાં છે. સવારથી ભારે ભીડ તેમની સાથે ચાલતી દેખાઈ હતી. કોંગ્રેસના મોટા નેતાઓની સાથે એક એક્ટર પણ જોડાયા હતા. અભિનેતામાંથી નેતા બનેલા સાઉથના સુપરસ્ટાર કમલ હાસન પણ રાહુલ સાથે કદમ મિલાવતા જોવા મળ્યાં હતા.
Delhi | Many people ask me why I'm here. I'm here as an Indian. My father was a Congressman. I had various ideologies & started my own political party but when it comes to the country, all political party lines have to blur. I blurred that line & came here: Actor Kamal Haasan pic.twitter.com/nAFyeeK18K
શું નિવેદન આપ્યું કમલ હાસને
ભારત જોડો લાલ કિલ્લા પર પહોંચી ત્યારે કમલ હાસને તેમનું ભાષણ આપ્યું જેમાં તેમણે કહ્યું કે ઘણા લોકોએ મને કહ્યું હું અહીં શા માટે આવ્યો. હું અહીં એક ભારતીય તરીકે આવ્યો. મારા પિતા કોંગ્રેસમેન હતા. હું વિવિધ વિચારસરણી ધરાવતો માણસ છું અને મારી પોતાની રાજકીય પાર્ટી શરુ કરી છે. પરંતુ જ્યારે પણ દેશહિતની વાત હોય ત્યારે પાર્ટીની વિચાસરણીને ભૂલી જવી પડતી હોય છે અને મેં આ ભૂસી નાખી છે અને તેથી હું અહીં આવ્યો છું.
ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પહોંચી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ચાલી રહેલ ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પહોંચી ગઇ છે. આ યાત્રામાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ શામેલ થયાં હતાં. સવારે રામ મંદિર બપોરે હજરત નિઝામુદ્દીનની દરગાહ જઇને યાત્રા મથુરા રોડ, ઇન્ડિયા ગેટથી થઇને લાલકિલ્લા પર પહોંચી છે. રાહુલે આ યાત્રામાં શામેલ થવા માટે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.
રાહુલ ગાંધીએ 'નફરત'થી શરૂ કર્યું પોતાનું ભાષણ
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરત-ઘૃણાને લઇને કરી છે. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાનું શરૂ નહોતું કર્યું ત્યારે લાગી રહ્યું હતું કે દેશમાં નફરત છે. પરંતુ સચ્ચાઇ આ નથી. સમગ્ર દેશમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને દૂર કરવાની આવશ્યકતા છે. 90% લોકો એકબીજાથી પ્રેમ કરે છે. રાહુલે લાલકિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારાનું ઉદાહરણ આપ્યું.
Actor Kamal Hassan joins 'Bharat Jodo Yatra' as it marches ahead in the national capital Delhi. pic.twitter.com/ZZ02uwyCDa
મલ્લિકાર્જુન ખડગેનાં મોદી પર પ્રહારો
કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કાશ્મીરમાં ત્રીરંગો ઝંડો લહેરાવીને યાત્રા પૂરી થશે. તેના બાદ હાથથી હાથ જોડો કાર્યક્રમ શરૂ થશે. ધર્મનાં નામ પર સમાજનો નાશ થઇ રહ્યો છે. બોલવાની સ્વતંત્રતા પણ છીનવાઇ રહી છે. સારી વિચારધારાનાં લોકોને ડરાવવામાં આવે છે. ભારત જોડો યાત્રા જોઇને બીજેપી સરકાર ડરી ગઇ છે અને કોરોનાનાં બહાના મારી રહી છે. પરંતુ પીએમએ સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું કે દેશમાં કોરોના વધી રહ્યો છે તેનો પ્રચાર કરો. તેથી પીએમ પોતે પણ માસ્ક લગાવી સંસદ પહોંચ્યા જ્યારે એક લગ્નમાં માસ્ક નહોતો લગાવ્યો. આ માત્ર ડરાવવા માટે છે. લોકોમાં ભય પેદા કરી યાત્રા તોડવાનાં પ્રયાસો કરી રહ્યાં છે.