200 કરોડ વસૂલીનો મામલો
સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડીના આરોપમાં સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ કેસમાં દિલ્હીમાં ચાર કલાક સુધી જેકલીનની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ PMLA હેઠળ સાક્ષીના રૂપમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતુ.
EDએ પાડી રેડ
EDએ ગયા અઠવાડીયે સુકેશ ચંદ્રશેખરના અડ્ડા પર રેડ પાડીને ચેન્નઇ સમુદ્ર તટ નજીક એક આલીશાન બંગલો 82.5 લાખ રૂપિયા રોકડ રકમ, 16 શાનદાર કાર અને અન્ય મોંઘા સામાન જપ્ત કર્યો છે.
શું છે આરોપ
સુકેશ ચંદ્રશેખર પર લાંચની સાથે સાથે દિલ્હીના એક બિઝનેસમેન સાથે કેસ સેટલ કરાવવાના કરોડો રૂપિયા લીધા હોવાના આરોપમાં જેલમાં બંધ છે. વર્ષ 2017માં દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખરની AIADMKના નેતા ટીટી વી દિનાકરણને 2 પાન વાળું ચૂંટણી ચિહ્ન અપાવવા માટે લાંચ લીધી હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રોહીણી જેલમાં બંધ સુકેશને આ વર્ષે 8 ઓગસ્ટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે બિઝનેસમેન પાસેથી 50 કરોડની રકમ માંગવામાં ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે ચંદ્રશેખર
સુકેશ ચંદ્રશેખર તે જ શખ્સ છે જેણે 2 કરોડ રૂપિયામાં ચૂંટણી ચિહ્ન લાવી આપવાનો વાયદો કર્યો હતો. મામલો સામે આવતા તેની ધરપકડ પણ કરીલેવામાં આવી હતી.