બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. ત્યારે તેમની છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું ટ્રેલર રિલીઝ થતાં પહેલાં ઈરફાન ખાને એક હૃદયસ્પર્શી વોઈસ મેસેજ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું- હું આજે તમારી વચ્ચે છું પણ અને નથી પણ...' આ વાત હવે સાચી સાબિત થઈ ગઈ છે. ઈરફાન ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યાં. કેન્સર સામેની લડાઈમાં તેઓ હારી ગયા. પરંતુ ફેન્સ અને તેમના ચાહકોના દિલમાં તે હમેશા જીવતા રહેશે.
તેની ફિલ્મ અંગ્રેજી મીડિયમના રિલીઝ પહેલાં ઈરફાને આપ્યો હતો આ મેસેજ
લાંબી બીમારી બાદ મુંબઈમાં ઈરફાને લીધા અંતિમ શ્વાસ
તમને જણાવી દઈએ કે, આ વોઈસ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે. આ વોઈસ નોટ સાંભળીને એ સમયે પણ તેના ફેન્સની આંખો ભીની થઈ ગઈ હતી અને આજે પણ ફેન્સની આંખોમાં આંસુ લાવી દેશે.
ઈરફાને આ વોઈસ નોટમાં કહ્યું હતું કે- અંગ્રેજી મીડિયમ તેના માટે બહુ જ ખાસ છે. તેની દિલથી ઈચ્છા હતી કે, તે આ ફિલ્મને પણ ખૂબ જ પ્રેમથી પ્રમોટ કરે. આ ફિલ્મ ખૂબ જ દિલથી બનાવી છે. તેણે કહ્યું તેના શરીરમાં કેટલાક અનવોન્ટેડ મહેમાન બેઠા છે. તેણે પોઝિટિવ રહેવાની પણ કહી. સાંભળો શું કહ્યું ઈરફાન ખાને.
તમને જણાવી દઈએ કે, ઈરફાન ખાનને વર્ષ 2018માં ન્યૂરોઈન્ડોક્રાઈન ટ્યૂમર વિશે ખબર પડી. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી તો ફેન્સને પણ ઝટકો લાગ્યો હતો. ઈરફાન લંડનમાં આ બીમારીનો ઈલાજ કરાવી રહ્યો હતો.
ભારત આવ્યા બાદ ઈરફાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પોતાનું રૂટીન ચેકઅપ્સ કરાવી રહ્યો હતો. જોકે, ગયા અઠવાડિયે જ તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો, જે બાદ તેનું નિધમ થઈ ગયું.